નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા

નથુરામ ગોડ્સેને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે ખુદ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં આવી ગયા છે. ભાજપના નેતા અનંત હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ અને કટીલની પડખે ખુદ ભાજપ ન ઉભુ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા આ નેતાઓ પાસે જવાબ માગવામાં આવ્યો છે. જે અંગે ખુદ અમિત શાહે ટવિટ કરીને જાણકારી આપી છે. આ […]

નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા
| Updated on: May 17, 2019 | 8:36 AM

નથુરામ ગોડ્સેને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે ખુદ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં આવી ગયા છે. ભાજપના નેતા અનંત હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ અને કટીલની પડખે ખુદ ભાજપ ન ઉભુ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા આ નેતાઓ પાસે જવાબ માગવામાં આવ્યો છે. જે અંગે ખુદ અમિત શાહે ટવિટ કરીને જાણકારી આપી છે.

આ પણ વાંચોઃ શ્મીરમાં આતંકી હુમલાની માહિતીઃ આ બે એરબેઝને એલર્ટ કરી દેવાયા, અગાઉ પઠાણકોર્ટમાં થયો હતો હુમલો

અમિત શાહે ટવિટ કરીને કહ્યું કે પાર્ટીની અનુશાસન સમિતીએ નથુરામ અંગે નિવેદન આપનારાઓ પાસે જવાબ માગ્યો છે. જેનો રિપોર્ટ 10 દિવસમાં પાર્ટીને આપવાનો રહેશે. સાથે અમિત શાહે કહ્યું કે ત્રણેય નેતાઓેએ કરેલા આ નિવેદન વ્યક્તિગત છે.

TV9 Gujarati

 

મહત્વનું છે કે, પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડ્સેને દેશભક્ત કહ્યો હતો. તેમણે કહ્યું કે નથુરામ દેશભક્ત છે અને રહેશે. અને જે લોકો નથુરામને આતંકી કહી રહ્યા છે તેમણે પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ. તો ભાજપના સાંસદ નલિને કહ્યું કે ગોડ્સેએ તો માત્ર એક વ્યક્તિને માર્યો અને કસાબે 72 લોકોના જીવ લીધા હતા તો રાજીવ ગાંધીએ 17 હજાર લોકોના જીવના જવાબદાર, તો તમે પોતે જ નિર્ણય કરો કે કોણ વધારે ક્રૂર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us