વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળ દરમિયાન આજે સાતમી વખત રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના 12 મિનિટના રાષ્ટ્રજોગ સંદેશ દરમિયાન જનતાને કોરોનાને લઇ બેદરકારી ન દાખવવા કહ્યું પીએમ મોદીએ જણાવ્યું કે લોકડાઉન પુરુ થયું છે, હજી સુધી કોરોના ગયો નથી માટે બેદરકારી ન દાખવો. ઉલ્લેખનીય છે કે તહેવારોની સિઝન છે ત્યારે તહેવારોને કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે માટે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે વડાપ્રધાન મોદીએ જનતાની કાળજી લેવા કહ્યું સાથે પીએમ મોદીએ દો ગજ દૂરી ,માસ્ક પહેરવાની અને હાથ ધોવાની ટેવ રાખવાનું પણ જનતાને સૂચવ્યું. વડાપ્રધાન મોદીએ તહેવારોની શુભકામનાઓ આપી રાષ્ટ્રજોગ સંદેશ પૂર્ણ કર્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો