વીડિયો કોલ પર Kiss, અનેક યુવતીઓ સાથે અફેર, વોઈસ ચેટમાં અમૃતપાલનો ભાંડો ફુટ્યો

|

Mar 23, 2023 | 5:13 PM

પંજાબ પોલીસે ખાલિસ્તાની નેતા અમૃતપાલની ધરપકડ કરવા માટે છેલ્લા ચાર દિવસથી ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે, છતાં કોઈ સુરાગ મળ્યો નથી. અમૃતપાલ પણ પાકિસ્તાન ભાગી ગયો હોવાની આશંકા છે.

વીડિયો કોલ પર Kiss, અનેક યુવતીઓ સાથે અફેર, વોઈસ ચેટમાં અમૃતપાલનો ભાંડો ફુટ્યો
Amritpal

Follow us on

ખાલિસ્તાની નેતા અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંહની હરકતો ધીમે ધીમે સામે આવી રહી છે. પોતાના નિવેદનોથી હલચલ મચાવનાર અમૃતપાલ અવિવાહિત અને પરિણીત મહિલાઓ સાથે દોસ્તી કરતો હતો અને પછી તેમને વીડિયો કોલ પર કિસ કરતો હતો અને અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો.

પ્રમુખ મીડિયાના રિપોર્ટ અનુસાર, અમૃતપાલ સિંહ યુવતીઓ અને મહિલાઓ સાથે સંબંધ બનાવતો હતો પરંતુ જ્યારે લગ્નની વાત આવે ત્યારે તે આનાકાની કરતો હતો. અમૃતપાલના આવા અનેક સંબંધો સામે આવ્યા છે. અમૃતપાલ સિંહના કાળા કારનામાની કેટલીક વૉઇસ નોટ્સ સામે આવી છે.

અમૃતપાલ સિંહના કાળા કામ-

વૉઇસ નોટમાં, અમૃતપાલ સિંહને એવું કહેતા સાંભળી શકાય છે કે તે છોકરીઓ અને મહિલાઓ સાથે કેઝુઅલ સંબંધો ઈચ્છે છે અને વધુ ગંભીર સંબંધો પસંદ નથી કરતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બીજી વોઈસ નોટમાં બહાર આવ્યું છે કે તેને મહિલાઓની ગંભીરતા પસંદ નથી. તેમનું માનવું છે કે મહિલાઓ ખૂબ જ ઝડપથી ગંભીર બની જાય છે.

ત્રીજી નોંધમાં, તે એક મહિલા વિશે વાત કરે છે અને કહે છે કે જ્યાં સુધી તેના વિવાહિત જીવનને અસર ન થાય ત્યાં સુધી તે સંબંધ બાંધવા માટે તૈયાર છે.

અમૃતપાલ ઈન્સ્ટાગ્રામ દ્વારા મહિલાઓ અને યુવતીઓ સાથે ચેટ પણ કરતો હતો. આવી મહિલાઓ અને યુવતીઓની યાદી જેમની સાથે તે નિયમિત રીતે વાતચીત કરતો હતો તે ખૂબ લાંબી છે.

ચેટમાં અમૃતપાલ એક મહિલાને મેસેજ કરે છે અને પૂછે છે કે, શું અમને એક્સ્ટ્રા-મેરિટલ અફેર વિશે વાત પાક્કિ છે? જવાબ આપતી વખતે, મહિલા હસતું ઇમોજી મોકલે છે.

અજનાલા પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસ સાથે મારામારી

ઉલ્લેખનીય છે કે અજનાલા ઘટના બાદ અમૃતપાલ સિંહ પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. જ્યાં તે સેંકડો સશસ્ત્ર સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો અને તેના એક સાથીને છોડાવવા માટે પોલીસ સામે હિંસા કરી હતી. આ ઘટનામાં અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.

આ મામલો હજુ શાંત થયો ન હતો કે અમૃતપાલ સિંહે પંજાબને લઈને મોટું નિવેદન આપ્યું. મીડિયા સાથે વાત કરતા અમૃતપાલ સિંહે કહ્યું હતું કે તેઓ પોતાને ભારતીય નથી માનતા. જ્યારે તેને ભારતીય પાસપોર્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હું તેને એક દસ્તાવેજ માનું છું.

આ પણ વાંચો : અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવર થયા પોલીસ શરણે, ખાલિસ્તાની નેતા હજુ પણ ફરાર

Published On - 5:10 pm, Thu, 23 March 23

Next Article