Breaking News: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલે સરેંડર કરવા મુકી 3 શર્ત

|

Mar 29, 2023 | 4:33 PM

અમૃતપાલ સિંહ વિશે મોટા સમાચાર આવ્યા છે અને તે આત્મસમર્પણ કરવાના મૂડમાં છે. તેણે પોલીસ સામે 3 શરતો પણ મૂકી છે. તે ઈચ્છે છે કે તેને પકડ્યા બાદ તેને પંજાબમાં જ રાખવામાં આવે.

Breaking News: ખાલિસ્તાની સમર્થક અમૃતપાલે સરેંડર કરવા મુકી 3 શર્ત
Image Credit source: Google

Follow us on

અમૃતપાલ સિંહ વિશે મોટા સમાચાર આવ્યા છે અને તે આત્મસમર્પણ કરવાના મૂડમાં છે. તેણે પોલીસ સામે 3 શરતો પણ મૂકી છે. તે ઈચ્છે છે કે તેને પકડ્યા બાદ તેને પંજાબમાં જ રાખવામાં આવે.

ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દેના વડો અમૃતપાલ સિંહ છેલ્લા 11 દિવસથી પંજાબ પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યા છે. હવે તેના વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે તે પંજાબમાં છે અને આત્મસમર્પણ કરવાની યોજના બનાવી રહ્યો છે. તેણે પોલીસ સમક્ષ ત્રણ શરતો મૂકી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાચો: કેવુ હશે Khalistan? ભિંડરાવાલાથી લઈને અમૃતપાલ સિંહે જોયું આ નાપાક સ્વપ્ન

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબ પોલીસનું ઓપરેશન સતત ચાલુ છે. આ દરમિયાન સિંહે પોલીસ સમક્ષ ત્રણ શરતો મૂકી છે. વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહે કહ્યું કે, તેની ધરપકડને આત્મસમર્પણ તરીકે દર્શાવવી જોઈએ. તેને પંજાબની જેલમાં રાખવો જોઈએ. તેને જેલમાં કે પોલીસ કસ્ટડીમાં માર મારવો જોઈએ નહીં.

દમદમા સાહિબમાં પણ આત્મસમર્પણ કરી શકે

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ધાર્મિક નેતાઓ પોલીસ અને અમૃતપાલ વચ્ચે વચેટિયા તરીકે કામ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે અમૃતપાલ દમદમા સાહિબમાં પણ આત્મસમર્પણ કરી શકે છે, અકાલ તખ્તના જથેદાર ત્યાં જઈ શકે છે.

અમૃતપાલ આ સ્કોર્પિયોમાં ઉત્તરાખંડથી અહીં પહોંચ્યો

અમૃતપાલ સિંહ શરણાગતિના ઈરાદા સાથે પંજાબ પહોંચી ગયો છે. તે જ સમયે, પોલીસે કપુરથલા જિલ્લાના ફગવાડા શહેરમાં છપ્રોડ ગામના ગુરુદ્વારામાંથી ઉત્તરાખંડ નંબરની એક લાવણ્યા સ્કોર્પિયો કાર મળી આવી છે. માનવામાં આવે છે કે અમૃતપાલ આ સ્કોર્પિયોમાં ઉત્તરાખંડથી અહીં પહોંચ્યો છે. બાદમાં તે ઈનોવામાં અમૃતસર જવા રવાના થયો, પરંતુ રસ્તામાં પોલીસે તેનો પીછો કર્યો અને ત્યારથી તે ભૂગર્ભમાં છે.

શંભુ બોર્ડર પર આવતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે

આ દરમિયાન પંજાબમાં ચાલી રહેલી ખાલિસ્તાની ગતિવિધિઓ વચ્ચે હરિયાણા પોલીસે પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. અંબાલા પોલીસ દ્વારા અંબાલાની શંભુ બોર્ડર પર આવતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. અમૃતપાલ પંજાબમાં હોવાના અહેવાલો વચ્ચે પંજાબ પોલીસે હોશિયારપુરમાં મોટાપાયે ચેકિંગ ઓપરેશન શરૂ કર્યું છે.

Published On - 3:58 pm, Wed, 29 March 23

Next Article