કેરળનાં કોઝીકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન રવ ને પરથી સ્લીપ થઈ જતા મોટી દૂર્ઘટના સર્જાઈ છે. રન વે પરથી વિમાન સ્લીપ થઈ જવાનાં કારણે વિમાનમાં બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં બે પાયલોટ સહિત 19નાં મોત થઈ ગયા જ્યારે 123 મુસાફરો ઈજાગ્રસ્ત બતાવવામાં આવી રહ્યા છે. દુબઈથી આવી રહેલા વિમાનમાં 191 પેસેન્જર સવાર હતા જેમાં ઘાયલોની સંખ્યા કદાચ હજુ વધી શકવાનો અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. DGCA મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસ AXB1344, B737 દુબઈથી કાલીકટ આવી રહ્યું હતું અને તેમાં 174 જેટલા લોકો સવાર હતા. ભારે વરસાદનાં કારણે રન વે પર ઉતર્યા બાદ વિમાન સ્લીપ થઈ ગયું હતું અને તેના બે ટુકડા થઈ ગયા હતા.
Published On - 3:53 pm, Fri, 7 August 20