દિલ્હી હાઈકોર્ટે JNUના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. આજે થયેલી સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓને હાલમાં જુની ફીના આધાર પર જ રજિસ્ટ્રેશન કરવાની પરવાનગી આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આ વિદ્યાર્થીઓથી કોઈ પણ પ્રકારની લેટ ફી પણ નહીં લેવામાં આવે.
આ કેસની આગામી સુનાવણી 28 ફેબ્રુઆરીએ થશે. આ પહેલા કોર્ટમાં JNU વિદ્યાર્થી સંગઠનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ફીમાં વધારો ગેરકાયદેસર છે. તેની સાથે જ તેમને કહ્યું કે JNUના હાઈ લેવલ કમેટીને હોસ્ટલ મેન્યુઅલમાં ફેરફારનો અધિકાર નહતો. JNU તંત્રએ જ્યારે ઘણા વિદ્યાર્થીઓની ફી જમા કરવાની વાત કહી તો વિદ્યાર્થીઓના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે બાળકોએ દબાણમાં આવીને ડરના કારણે ફી જમા કરાવી છે. કપિલ સિબ્બલે કહ્યું કે તંત્રને વધેલી ફી પાછી લેવી જ જોઈએ. જે વિદ્યાર્થી પાસે પૈસા લીધા છે, તેને પણ પાછા આપવા જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે ડ્રાફ્ટ હોસ્ટેલ મેન્યુઅલ પર કોર્ટ તરફથી અટકાવવાની માગ પણ કરી છે. અગાઉ સહાયક સોલિસીટર જનરલ પિંકી આનંદે માન્યું કે ભારત સરકાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને યુજીસી દ્વારા આ બાબતે એક પક્ષકાર છે.
JNU તંત્રએ હોસ્ટેલ ફીમાં ભારે વધારો કર્યો હતો. સિંગલ રૂમ રેન્ટમાં 20 રૂપિયાથી વધારીને 600 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ડબલ રૂમ રેન્ટને પણ 10 રૂપિયાથી વધીને 300 રૂપિયા કરવામાં આવ્યા હતા. વિશ્વવિદ્યાલય તરફથી ફીમાં વધારો કર્યા પછી વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કરી દીધું. ત્યારબાદ તંત્રએ ડબલ રૂમનું રેન્ટ 600થી ઘટાડીને 300 રૂપિયા અને સિંગલ રૂમનું રેન્ટ 300થી ઘટાડીને 150 રૂપિયા કરી દીધું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 9:36 am, Fri, 24 January 20