Jammu Kashmir : જમ્મુ કાશ્મિરના શોપિયા Shopian જિલ્લામાં સુરક્ષાબળ સાથે રાતભર ચાલુ રાખેલ સશસ્ત્ર અથડામણમાં, ( Encounter ) વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મિર પોલીસે રવિવાર 11 એપ્રિલે જણાવ્યુ કે, આ સાથે સુરક્ષાબળ સાથેની સશસ્ત્ર અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. દક્ષિણ કાશ્મિરના શોપિયા જિલ્લાના હાદીપુરામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ શરૂ થઈ હતી. જેમાં એક આતંકવાદી તો ગઈકાલ શનિવારે જ માર્યો ગયો હતો.
કાશ્મિરના પોલીસ અધિકારીના જણાવ્યાનુંસાર, માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પૈકી, એકે તો તાજેતરમાં જ હથિયાર ઉઠાવ્યા હતા. સુરક્ષા બળોએ માર્યા ગયેલા આતંકવાદીઓને પહેલા તો શરણે આવીને આત્મ સમર્પણ કરવા અપીલ કરી હતી. કાશ્મિરના પોલીસ મહાનિર્દેશક (IGP) વિજયકુમારે કહ્યુ કે, તાજેતરમાં જ હથિયાર ઉઠાવીને આતંકવાદી બનેલા યુવાનના માતા પિતાએ પણ સુરક્ષાબળના શરણે આવીને આત્મસમર્પણ કરવા જણાવ્યુ હતું. પરંતુ બાકીના આતંકવાદીઓએ નવયુવાનને શરણે આવતા રોક્યો હતો.
સુરક્ષાબળોએ, દક્ષિણ કાશ્મિરના શોપિયા જિલ્લાના હાદીપુરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે, ગઈકાલે શનિવારે ધેરાબંધી કરીને તપાસ અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં આતંકવાદીઓ સુરક્ષાબળના જવાનો ઉપર ગોળીઓ વરસાવવાનું શરુ કરતા, સુરક્ષાબળના જવાનોએ ગઈકાલે શનિવારે જ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. જ્યારે રાતભર ચાલેલ જૂથ અથડામણમાં વધુ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. જો કે આ વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ અભિયાન હજુ પણ ચાલુ છે.
Published On - 9:15 am, Sun, 11 April 21