મોટો ખુલાસો : પુલવામા કરતા મોટા આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું છે જૈશ એ મોહમ્મદ, લીલા કલરની ગાડી પણ તૈયાર

|

Feb 21, 2019 | 6:27 AM

પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહમ્મદ (JEM) તેના કરતા પણ મોટા હુમલાની તૈયારીમાં છે. TV9 Gujarati   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે જલદી વપરાઈ જાય છે તમારા […]

મોટો ખુલાસો : પુલવામા કરતા મોટા આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું છે જૈશ એ મોહમ્મદ, લીલા કલરની ગાડી પણ તૈયાર

Follow us on

પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જૈશ એ મોહમ્મદ (JEM) તેના કરતા પણ મોટા હુમલાની તૈયારીમાં છે.

TV9 Gujarati

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુપ્તચર એજન્સીઓને જે ઇનપુટ મળ્યા છે, તેના મુજબ આ હુમલા આગામી 2થી 3 દિવસની અંદર થઈ શકે છે કે જેના માટે ગાડી પણ તૈયાર કરી લેવાઈ છે. ઉત્તરી કાશ્મીરના ચૌકીબલ તથા તંગધારમાં IED બ્લાસ્ટ વડે આ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે જેઈએમ.

આ ઇનપુટ બાદ ખુફિયા એજન્સીઓએ તમામ સલામતી દળોને સાવધાન રહેવા માટે કહ્યું છે. ઇનપુટ મુજબ જૈશના આતંકીઓએ એક ગાડી તૈયાર કરી લીધી છે કે જેના વડે આઈઈડી બ્લાસ્ટ કરી ફરી એક વાર સલામતી દળોના કાફલાને નિશાન બનાવવાની તૈયારી થઈ રહી છે. આ હુમલા માટે એક લીલા રંગની સ્કૉર્પિયો ગાડી તૈયાર કરાઈ છે કે જેથી ફરી એક વાર પુલવામા જેવો આત્મઘાતી હુમલો કરી શકાય.

ઇંટેલિજન્સ એજન્સીઓએ જે મૅસેજ ડિકોડ કર્યો છે, તેના મુજબ પુલવામા આતંકી હુમલામાં 200 કિલો રમકડાં (વિસ્ફોટક)નો ઉપયોગ કરાયો હતો, પરંતુ હવે પછીના હુમલામાં 500 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરી શકાય છે.

આ સંદેશમાં કહેવાયું છે, ‘સેનાએ કાશ્મીરીઓને નિશાન બનાવવા બંધ કરી દેવુ જોઇએ. આ જંગ અમારા (જૈશ) અને સેના વચ્ચે છે, અમે લડવા માટે તૈયાર છીએ.’ ઇનપુટથી એ પણ જાણવા મળે છે કે કેટલાક સ્થાનિક કાશ્મીરીઓને આતંકી બનાવવા માટે તૈયાર કરાઈ રહ્યા છે. જણાવાયું છે કે સરહદ પાર 5-6 આતંકી ઘુસણખોરી માટે ગુરેજ સેક્ટર પાસે બેઠેલા છે કે જેઓ આદેશ મળતા જ હિન્દુસ્તાનમાં દાખલ થઈ જશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article