ITની સાઈટ ક્રેશ થઈ હોવાથી આધાર-પાન લિંક થવામાં ઊભી થઈ મુશ્કેલી, લોકોએ મિમ્સ બનાવી કાઢ્યો રોષ

|

Mar 31, 2021 | 5:42 PM

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો હજી પણ તેમના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ITની સાઈટ ક્રેશ થઈ હોવાથી આધાર-પાન લિંક થવામાં ઊભી થઈ મુશ્કેલી, લોકોએ મિમ્સ બનાવી કાઢ્યો રોષ

Follow us on

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો હજી પણ તેમના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે પાનકાર્ડને આધાર સાથે જોડવાનું ખૂબ મહત્વનું છે, કારણ કે 31 માર્ચ સુધી જો આધાર પાન સાથે જોડાયેલ નથી તો પાનકાર્ડનો કોઈ ફાયદો નહીં થાય, એટલે કે તે નિષ્ક્રિય થઈ જશે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આવી સ્થિતિમાં ઘણા લોકો પાનને આધાર સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, ઘણા વપરાશકર્તાઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખરેખર, એવું થઈ રહ્યું છે કે વેબસાઈટ પર આજે ટ્રાફિક વધારે હોવાથી ઘણા લોકો તેમનો આધાર પાન સાથે લિંક કરી શકતા નથી. જેના કારણે સોશ્યલ મીડિયા પર ઘણા લોકો ફની મીમ્સ બનાવીને એન્જોય કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ તેમનો આધાર પાન સાથે જોડ્યો છે. તે જ સમયે, કેટલાક લોકો વેબસાઈટની ભૂલોને કારણે હજી પણ આધારને પાન સાથે લિંક કરી શક્યા નથી.

 

 

 

તમને જણાવી દઈએ કે જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાયેલ નથી તો તમારું પાનકાર્ડ આવતા મહિનાથી નિષ્ક્રિય થઈ જશે. જો તમે તેને પછીથી લિંક કરશો તો તમારે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આની સાથે તમારા ઘણા કામ પણ અટવાઈ શકે છે. પાન-આધાર લિંકના અભાવે 50,000 રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે નહીં. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ, ડીમેટ ખાતા ખોલવામાં અને નવું બેંક ખાતું ખોલવામાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

 

કેન્દ્ર સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ઘણી વખત વધારી દીધી છે. અગાઉ, તેની છેલ્લી તારીખ 30 જૂન 2020 હતી, જે પછીથી 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી. તે જ સમયે, તેને આગળ ધપાવવાની થોડી આશા છે. નિષ્ણાતો માને છે કે બજેટ દરખાસ્તનો અમલ 1 એપ્રિલ 2021થી થશે. આવી સ્થિતિમાં સમયમર્યાદામાં વધારો થવાની અપેક્ષા હવે ખૂબ ઓછી છે. આવી સ્થિતિમાં જો તમે પાન સાથે આધાર જોડ્યો નથી તો ચોક્કસપણે આજે જ કરો.

 

આ પણ વાંચો: Corona Vaccination : દેશમાં ગુરુવારથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને મળશે વેક્સિન

Next Article