રેલવે મુસાફરો માટે સારા સમાચાર, લૉકડાઉનને પગલે બંધ કરાયેલી તેજસ ટ્રેન આજથી ફરી શરૂ થઇ

|

Feb 14, 2021 | 9:00 AM

રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. લૉકડાઉનને પગલે બંધ કરાયેલી તેજસ ટ્રેન આજથી ફરી શરૂ થઇ ગઈ છે. પ્રાથમિક તબક્કામાં તેજસ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડશે. શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે તેજસ ટ્રેનની મુસાફરી કરી શકાશે.

રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. લૉકડાઉનને પગલે બંધ કરાયેલી તેજસ ટ્રેન આજથી ફરી શરૂ થઇ ગઈ છે. પ્રાથમિક તબક્કામાં તેજસ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડશે. શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે તેજસ ટ્રેનની મુસાફરી કરી શકાશે. આજે સવારે 6.30 વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી તેજસ ટ્રેન ઉપડી હતી. જોકે તેજસ ટ્રેનની મુસાફરી પહેલા મુસાફરોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે. મહત્વપૂર્ણ છે કે કોરોનાકાળ હવે પૂર્ણતાને આરે છે અને મુસાફરો તરફથી પણ રેલવે વિભાગને રજૂઆતો મળતા આ નિર્ણય લેવાયો છે. જોકે મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે તેજસ ટ્રેન ફૂલ કેપિસિટી સાથે ચાલશે.

Next Video