UIDAI આધારકાર્ડ કાઢનારી સંસ્થા છે. આધાર હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. નાણાંકીય લેણદેણ અને સરકારની સામાજીક સુરક્ષા યોજનાઓમાં આધાર ખુબ ઉપયોગી છે, તેથી દરેક લોકો પાસે હોવું જરૂરી છે.
UIDAIના અધિકારીઓ મુજબ જો તમે તમારા આધારકાર્ડનો ઉપયોગ સતત 3 વર્ષ સુધી નથી કરતા તો તે ઈનએક્ટિવ થઈ શકે છે. જો છેલ્લા 3 વર્ષમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ નથી થયો, એટલે કે તમે કોઈ બેન્ક ખાતા કે પાનકાર્ડ સાથે લિંક નથી કર્યુ કે કોઈ ઉપયોગ નથી કર્યો તો તમારૂ આધારકાર્ડ ડીએક્ટિવેટ કરવામાં આવી શકે છે, તમારૂ આધારકાર્ડ બંધ થઈ શકે છે.
UIDAIની વેબસાઈટના હોમપેજ પર આધાર સર્વિસ ટેબની નીચે ‘વેરીફાઈ આધાર નંબર’નો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેવા તમે ‘વેરીફાઈ આધાર નંબર’ પર ક્લિક કરશો તેવા બીજા એક નવા પેજ પર પહોંચી જશો. નવા પેજમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખ્યા પછી વેરીફાઈ પર ક્લિક કરો. ત્યારબાદ લીલી રંગની સહીનું નિશાન આવે છે તો તેનો મતલબ છે કે તમારૂ આધારકાર્ડ એક્ટિવ છે.
આ પણ વાંચો: ભારતીય સેના આ કારણે છે ચિંતામાં, સંરક્ષણ મંત્રાલયને કરી જાણ!
જો તમારૂ આધારકાર્ડ સક્રિય નથી તો તમારા સંબંધિત દસ્તાવેજોની સાથે નજીકના એનરોલમેન્ટ સેન્ટર જવુ પડશે. તમારે ત્યાં આધાર અપડેટ ફોર્મ ભરવું પડશે અને તમારા બાયોમેટ્રિક્સને ફરીથી વેરીફાઈ કરવામાં આવશે અને અપટેડ કરી દેવામાં આવશે. અપડેટ કર્યા પછી તમારા એનરોલમેન્ટ સેન્ટરમાં 25 રૂપિયા ફી ભરવી પડશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે તમારો એક વેલિડ મોબાઈલ નંબર આપવો પડશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]