ગુજરાતમાં ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી, ગુજરાત સરકારે કરી હતી આ દલીલ

ગુજરાતના ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચ આ મુદ્દે સુનાવણી કરશે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, ગુજરાતમાં ફિક્સ વેતનદારોને સમાન કામ- સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે નહીં. ગુજરાત સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે, […]

ગુજરાતમાં ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી, ગુજરાત સરકારે કરી હતી આ દલીલ
| Updated on: Nov 13, 2019 | 4:55 PM

ગુજરાતના ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચ આ મુદ્દે સુનાવણી કરશે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, ગુજરાતમાં ફિક્સ વેતનદારોને સમાન કામ- સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે નહીં. ગુજરાત સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે, ફિક્સ- પેના કર્મચારીઓ કરાર આધારિત છે. અને પાંચ વર્ષે નોકરી પૂર્ણ થયા બાદ જ તેમને કાયમી કરાય છે. જેથી બિહારના કેસની જેમ ગુજરાતમાં સમાન કામ-સમાન વેતનનો સિદ્ધાંત લાગુ નહીં પડે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વિવાદ પછી અમિત શાહનું નિવેદન, PM મોદીએ પહેલા જ કરી હતી સ્પષ્ટતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈક્વલ પે ઈક્વલ વર્કએ કોઈ બંધારણીય હક નથી. ઉલ્લેખનીય છે કે, ફિક્સ વેતનદારોને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતે પગાર આપવા ગુજરાત હાઈકોર્ટે 6 વર્ષ પહેલા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જો કે, સરકારે અમલ કરવાને બદલે ચૂકાદાને સુપ્રીમમાં પડકારતા વર્ષોથી આ કેસ ન્યાયિક કાર્યવાહી હેઠળ પડતર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us