એસટીની નવી પ્રીમિયમ વોલ્વો સ્લીપર બસમાં અમદાવાદથી જયપુરની સફર કરો, જાણો કેટલું રહેશે ભાડું?

|

Oct 11, 2019 | 12:48 PM

ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપરની પ્રીમિયમ સર્વિસ શરૂ કરાઈ છે. આ પહેલાં પણ અમદાવાદથી વોલ્વો સીધી જ નાથદ્વારા વોલ્વો સેવા ચાલુ કરવામાં આવી હતી. અમદાવાદથી ઉદયપુર જવા માટે પણ રાજસ્થાન નિગમ દ્વારા બસ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં સીધી જ સેવા મળી રહે તે માટે અમદાવાદથી જયપુર સ્લીપર વોલ્લો બસ સેવા […]

એસટીની નવી પ્રીમિયમ વોલ્વો સ્લીપર બસમાં અમદાવાદથી જયપુરની સફર કરો, જાણો કેટલું રહેશે ભાડું?
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપરની પ્રીમિયમ સર્વિસ શરૂ કરાઈ છે. આ પહેલાં પણ અમદાવાદથી વોલ્વો સીધી જ નાથદ્વારા વોલ્વો સેવા ચાલુ કરવામાં આવી હતી. અમદાવાદથી ઉદયપુર જવા માટે પણ રાજસ્થાન નિગમ દ્વારા બસ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં સીધી જ સેવા મળી રહે તે માટે અમદાવાદથી જયપુર સ્લીપર વોલ્લો બસ સેવા શરુ કરવામાં આવી છે. ગુજરાતમાંથી એક રાત્રિના સફરમાં અમદાવાદથી મુસાફરોને જ્યપુર પહોંચાડી શકાય તેવો સમય એસટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તસવીર પ્રતિકાત્મક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદ-જયપુર પ્રીમિયમ બસ સર્વિસ અમદાવાદથી દરરોજ સાંજે 7.00 વાગે ઊપડશે અને બીજા દિવસે સવારે 8.00 વાગે જયપુર પહોંચશે. જયપુરથી અમદાવાદ પરત આવવા માટે સાંજે 4.30 વાગે ઊપડશે અને તે બીજા દિવસે વહેલી સવારે 5.30 વાગે અમદાવાદ પહોંચાડશે. વાયા મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સિરોહી, પાલી, અજમેર થઈને આ બસ દોડશે.

ટ્રેન કરતાં વોલ્વો સ્લીપર સસ્તી રહેશે કે મોંઘી? 

બસ સર્વિસનું અમદાવાદથી જયપુરનું ભાડું 1361 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી જયપુર સુધી ટ્રેનનું ભાડું સેકન્ડ ACમાં 1340 રૂપિયા અને થર્ડ ACમાં 930 રૂપિયા છે. અમદાવાદથી જયપુર વોલ્વો શરુ થવાથી બસમાં જ સફર કરનારા લોકોને રાહત રહેશે. આમ જે લોકો ફક્ત બસમાં સફર કરવા માટે ટેવાયેલા છે તેમના માટે રાહતની મુસાફરી રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:37 pm, Fri, 11 October 19

Next Article