
અત્યાર સુધી રેલવે યાત્રીઓ માટે નિયમ હતો કે વેઈટિંગ ટિકીટ ધરાવતા લોકો ટ્રેનમાં સફર ન કરી શકે. માત્ર વિન્ડો કે પછી કાઉન્ટર પરથી ટિકીટ ખરીદનાર યાત્રીઓ જ તે તારીખ અને કે ક્લાસમાં સફર કરી શકે છે. આ નિયમ ઓનલાઈન ટિકીટ પર લાગૂ નથી થતો.
ઓનલાઈન બૂક કરેલી વેઈટિંગ ટિકીટથી પણ યાત્રીઓ સફર નથી કરી શકતા અને જો આમ કરતા કોઈ જોવા મળે તો તેમને ટિકીટ વગર મુસાફરી કરતો હોવાના જવાબદાર મનાય છે.
હેવ TRCTCએ વેઈટિંગ લિસ્ટના યાત્રીઓને સુવિધા આપતા કહ્યું છે કે ચાર્ટ બની ગયા બાદ પણ જે મુસાફરોનું નામ હશે તે પોતાની સફર કરી શકશે. એવા મુસાફરોને સફર કરવા પર કોઈ દંડ નહીં થાય જેમનું નામ વેઈટિંગ લિસ્ટમાં હશે. હાલ આ ટ્રેનોમાં કાર્યરત ટીકીટ ચેકર્સને એવા ટેબલેટ આપવામાં આવ્યા છે જેનાથી તેમને ખાલી સીટો વિશે તરત માલૂમ પડી જશે. સૌથી પહેલા આ સુવિધા માત્ર શતાબ્દી અને રાજધાનીમાં શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે તેને પ્રત્યેક ઝોનમાં લાગૂ કરવાનો નિર્દેશ આપી દેવાયો છે.
[yop_poll id=734]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]