અફઘાનિસ્તાનને ઘઉં મોકલવા અંગે પાકિસ્તાનનો ખુલાસો, કહ્યું અમને ભારતના જવાબની રાહ

|

Jan 21, 2022 | 11:57 PM

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, 'અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય તરીકે 50 હજાર ટન ઘઉં અને અન્ય તબીબી પુરવઠો મોકલવા માટે અમે પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં છીએ.

અફઘાનિસ્તાનને ઘઉં મોકલવા અંગે પાકિસ્તાનનો ખુલાસો, કહ્યું અમને ભારતના જવાબની રાહ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

પાકિસ્તાને (Pakistan) શુક્રવારે કહ્યું કે તેણે ભારતને માનવતાવાદી સહાય (Humanitarian Aid) તરીકે અફઘાનિસ્તાન (Afghanistan) માં ઘઉં ના કન્સાઇનમેન્ટ (Consignment of Wheat) મોકલવાની ગોઠવણની જાણ કરી છે અને પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવાની યોજના બનાવી છે. હવે  નવી દિલ્હી (New Delhi) તરફથી જવાબની રાહ જોવાઇ રહી છે. વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઈફ્તિખાર અહેમદે સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે માનવતાવાદી અભિગમના આધારે અને અપવાદ તરીકે ભારતને પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં ઘઉં મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી.

“અમે ભારતને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની જરૂરી વિગતો જણાવી છે અને તેને લગભગ ત્રણ અઠવાડિયા થઈ ગયા છે. અમે પ્રથમ માલ મોકલવાની તારીખ અને અન્ય સંબંધિત માહિતીના ભારતના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. જેનો જવાબ 24 નવેમ્બરે મોકલવામાં આવ્યો છે. ભારતે ગયા મહિને કહ્યું હતું કે તે પાકિસ્તાનના માર્ગે અફઘાનિસ્તાનમાં ઘઉં અને દવાઓ મોકલવાની પદ્ધતિ અંગે પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં છે.

પાકિસ્તાન ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદન બાગચીએ નવી દિલ્હીમાં એક મીડિયા બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય તરીકે 50,000 ટન ઘઉં અને અન્ય તબીબી પુરવઠો મોકલવા માટે અમે પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં છીએ.” તે ખૂબ જ જટિલ ઓપરેશન છે અને હું તમને ધીરજ રાખવા વિનંતી કરીશ.’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઇસ્લામાબાદમાં વિદેશ કાર્યાલયના પ્રવક્તા અહેમદે કહ્યું કે પાકિસ્તાન અને ભારત તેના તમામ પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે. તેમણે કહ્યું, “પાકિસ્તાન ભારતના પડોશી દેશો સાથે અર્થપૂર્ણ, માળખાકીય અને પરિણામલક્ષી વાતચીત માટે પ્રતિબદ્ધ છે, પરંતુ હવે આ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની સંપૂર્ણ જવાબદારી ભારતની છે.”

ગરીબી અને ભૂખમરા સામે લડી રહ્યું છે અફઘાનિસ્તાન

ભારતે કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે, જે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત હોય. ભારતનું કહેવું છે કે વાતચીત અને આતંકવાદ સાથે ન ચાલી શકે. નોંધપાત્ર વાત એ છે કે, તાલિબાનના કારણે ગરીબી અને ભૂખમરાથી પીડિત અફઘાનિસ્તાનને પડોશી દેશો સતત માનવતાવાદી સહાય આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા નેપાળે પણ મદદનો હાથ લંબાવ્યો હતો. નેપાળે અફઘાનિસ્તાનની મદદ માટે ત્યાં કામ કરી રહેલા યુએન પ્રતિનિધિઓને 14 ટન માનવતાવાદી સહાય સોંપી. નેપાળના આધુનિક ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે તેણે બીજા દેશને મદદ મોકલી હોય.

આ પણ વાંચો: Corona vaccination: દેશની 71 ટકા પુખ્ત વસ્તીને લાગી ગઈ છે વેક્સિન, જાણો કયા રાજ્યમાં લાગી છે સૌથી ઓછી કોરોનાની રસી છે

આ પણ વાંચો: Uttar Pradesh Corona: ઉત્તર પ્રદેશમાં આજે કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા, 17,600 જેટલા દર્દીઓ સાજા થયા

Next Article