Farmer Protest: ખેડૂતોના પરત ફર્યા બાદ આજથી ખુલશે સિંઘુ અને ટિકરી બોર્ડર, રસ્તાનું સમારકામ ચાલુ

|

Dec 12, 2021 | 8:22 AM

ખેડૂત આંદોલનને લઈને પોલીસે રસ્તાઓ પર લગાવવામાં આવેલા બેરિકેડ્સને હટાવી રહી છે. રોડ રિપેરિંગનું કામ પણ ચાલી રહ્યું છે અને સવારે 10 વાગ્યા પછી બોર્ડર ખોલવામાં આવશે તેવી આશા છે.

Farmer Protest: ખેડૂતોના પરત ફર્યા બાદ આજથી ખુલશે સિંઘુ અને ટિકરી બોર્ડર, રસ્તાનું સમારકામ ચાલુ
farmer protest

Follow us on

ખેડૂતોના (Farmers) ઘરે પરત ફર્યા બાદ  રવિવારે બપોરથી સિંઘુ અને ટિકરી બોર્ડર વાહનોની અવરજવર માટે ખોલી દેવામાં આવશે. આ સાથે જ પોલીસે ખેડૂતોને રોકવા માટે મૂકેલા બેરીકેટ્સ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. એવી અપેક્ષા છે કે ગાઝીપુર બોર્ડર 14 ડિસેમ્બરની સાંજે અથવા 15 ડિસેમ્બરની સવારે વાહનોની અવરજવર માટે ખોલવામાં આવશે.

બાહરી ઉતરી ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ બિજેન્દ્ર કુમાર યાદવે કહ્યું હતું કે, પોલીસ સરહદની આસપાસના રસ્તાઓ પર લગાવવામાં આવેલા તમામ બેરિકેડ્સને હટાવી રહી છે. તેમાં કોંક્રીટ અને કાંટાળા લોખંડના તારથી બનેલા બેરીકેટનો પણ સમાવેશ થાય છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે રસ્તા પરથી તમામ પ્રકારના બેરિકેડ હટાવ્યા બાદ રવિવાર બપોર સુધીમાં બોર્ડર વાહનોની અવરજવર માટે ખોલી દેવામાં આવશે.

દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પરવિંદર સિંહે જણાવ્યું હતું કે, ખેડૂતો તેમના ઘરો તરફ રવાના થઈ ગયા છે. પોલીસ રસ્તાઓ પર લગાવવામાં આવેલા બેરિકેડ્સને હટાવી રહી છે. રોડ રિપેરિંગનું કામ પણ ચાલી રહ્યું છે અને સવારે 10 વાગ્યા પછી બોર્ડર ખોલવામાં આવશે તેવી આશા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ધરણા સમાપ્ત કરવાની જાહેરાત બાદ શનિવારે આખો દિવસ ખેડૂતો જતા જોવા મળ્યા હતા. ખેડૂતોની સંખ્યા ઘટતાની સાથે જ પોલીસે પણ બેરિકેડ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. શનિવારે દિવસભર રોડની એક બાજુના સિમેન્ટના બેરીયર, નળ અને કાંટાળી તાર દૂર કરવાની કામગીરી ચાલુ રહી હતી. આ માટે મજૂરો અને જેસીબી મશીનની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે તેમના રહેવા માટે બનાવેલ હંગામી માળખું પણ હટાવી રહી છે. ઑક્ટોબરમાં, ટિકરી અને સિંધુ સરહદે એક કેરેજવે રાહદારીઓ અને બાઇક સવારો માટે પાંચ ફૂટનો રસ્તો ખોલવામાં આવ્યો હતો.

13 ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો છે
તે જ સમયે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગાઝીપુર બોર્ડર પર હાજર ખેડૂતોએ 13 ડિસેમ્બર સુધી સ્થળાંતર કરવા માટે સમય માંગ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમામ બેરિકેડ્સને હટાવ્યા બાદ 14 ડિસેમ્બરની સાંજથી 15 ડિસેમ્બરની સવાર સુધી બોર્ડર ખોલવામાં આવશે. ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો 3 કૃષિ કાયદાઓ અને અન્ય સંબંધિત મુદ્દાઓ સામે તેમના વર્ષ-લાંબા વિરોધને સ્થગિત કર્યા પછી ઉત્સવમાં નાચતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Omicronના વધતા જતા કેસોએ આ દેશની વધારી દીધી ચિંતા, જાન્યુઆરીમાં આવી શકે છે મોટી લહેર

આ પણ વાંચો : Happy birthday Rajinikanth : એક મહિલાએ રજનીકાંતના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

Next Article