દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સામે EDએ નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ

|

Aug 23, 2022 | 8:26 PM

નવી એક્સાઈઝ પોલિસીના મામલે સતત મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા સોમવારે ગૃહ મંત્રાલયે દિલ્હીના આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણ અને ડેપ્યુટી એક્સાઇઝ કમિશનર આનંદ કુમાર તિવારીને સસ્પેન્ડ કર્યા હતા.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સામે EDએ નોંધ્યો મની લોન્ડરિંગનો કેસ
Delhi DyCM Manish Sisodiya
Image Credit source: File Image

Follow us on

EDએ દિલ્લીની આબકારી નીતિ 2021-22 મામલે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની (Manish Sisodia) વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. થોડા સમય પહેલા જ સીબીઆઈએ નવી એક્સાઈઝ પોલિસીમાં થયેલા કૌભાંડને લઈને સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા પછી EDએ સીબીઆઈ પાસેથી સિસોદિયા કેસની ફાઈલ લઈ લીધી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ED ટૂંક સમયમાં સિસોદિયા કેસમાં પણ એન્ટ્રી લઈ શકે છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસમાં એફઆઈઆર પણ નોંધી છે, જેમાં મનીષ સિસોદિયા અને ચાર એક્સાઈઝ અધિકારીઓના નામ સામેલ છે. કુલ 15 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું નામ પહેલા નંબર પર છે.

 

નવી એક્સાઈઝ પોલિસીના મામલે સતત મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા સોમવારે ગૃહ મંત્રાલયે દિલ્હીના આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણ અને ડેપ્યુટી એક્સાઇઝ કમિશનર આનંદ કુમાર તિવારીને સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે નવી એક્સાઇઝ પોલિસી સંબંધિત તપાસ રિપોર્ટમાં 11 અધિકારીઓના નામ સામે આવ્યા હતા. તેમાંથી નવને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

19 ઓગસ્ટે દરોડા પાડવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે જ્યારે રાજ્યપાલે આ મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી ત્યારે સીબીઆઈ દ્વારા મનીષ સિસોદિયા વિરુદ્ધ પહેલી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. શુક્રવારે 19 ઓગસ્ટના રોજ સીબીઆઈની ટીમે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત દેશમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસમાં સીબીઆઈએ મનીષ સિસોદિયા અને ચાર એક્સાઈઝ અધિકારીઓ સહિત 15 લોકો સામે એફઆઈઆર પણ નોંધી છે. મનીષ સિસોદિયાનું નામ નંબર વન પર છે.

CBI ટૂંક સમયમાં વધુ લોકોની પૂછપરછ કરી શકે છે

તે જ સમયે, મનીષ સિસોદિયા સહિત 13 આરોપી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ, સીબીઆઈએ 20 ઓગસ્ટ, શનિવારે આ કેસમાં પૂછપરછ શરૂ કરી હતી. સીબીઆઈએ ત્રણેય આરોપીઓના નિવેદન નોંધ્યા હતા. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં સિસોદિયા સહિત 15 લોકોના નામ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં સીબીઆઈ દ્વારા કેટલાક વધુ લોકોના નિવેદન પણ નોંધવામાં આવશે.

Published On - 8:00 pm, Tue, 23 August 22

Next Article