જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ

|

Feb 28, 2019 | 12:21 PM

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધની જીતની એક નિશાની આજે પણ રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર રાખેલી છે જે ભારતીય સેનાની બહાદુરીના કિસ્સાની સાબિતી છે. ભરતપુરના ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર પાકિસ્તાનની એ ટેંક રાખેલી છે જેને અમેરિકાએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે આપી હતી પરંતુ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધા બાદ ભારતના વીર […]

જાણો છો રાજસ્થાનના ભરતપુરના ચાર રસ્તાની વચ્ચોવચ્ચ કેમ રાખવામાં આવી છે પાકિસ્તાની ટૅંક? કારણ જાણીને તમને પણ થશે ગર્વ

Follow us on

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1971ના યુદ્ધની જીતની એક નિશાની આજે પણ રાજસ્થાનના ભરતપુરમાં સ્થિત ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર રાખેલી છે જે ભારતીય સેનાની બહાદુરીના કિસ્સાની સાબિતી છે.

ભરતપુરના ગોવર્ધન ગેટ ચાર રસ્તા પર પાકિસ્તાનની એ ટેંક રાખેલી છે જેને અમેરિકાએ પાકિસ્તાનને ભારત સામે લડવા માટે આપી હતી પરંતુ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધા બાદ ભારતના વીર જવાન પાકિસ્તાનની આ ટેંક તેમની સાથે આપણા દેશમાં લઈ આવ્યા હતા.

છાતી પર બૉમ્બ મૂકી ફેરવી દીધું હતું પાકિસ્તાનના બદઈરાદાઓ પર પાણી

ભરતપુરના લોકોના કહેવા પ્રમાણે અમેરિકાએ પાકિસ્તાનને આ ટેંક આપતા સમયે કહ્યું કે આ ટેંક પર કોઈ પણ મિસાઈલ, બૉમ્બ કે કોઈ પણ શસ્ત્રની અસર નથી થઈ શકતી. પરંતુ ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના તમામ બદઈરાદાઓ પર પાણી ફેરવી દીધું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભરતપુરના 3 જવાનો થયા હતા શહીદ

વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા આ યુદ્ધને ભારતે પોતાવા નીર જવાનોના રણકૌશલના ભરોસે જીત્યું હતું અને પાકિસ્તાનના લગભગ 90 હજાર સૈનિકોએ ભારત સામે આત્મસમર્પણ કર્યું હતું.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભરતપુરના 3 જવાનોને વીરગતિ પ્રાપ્ત થઈ હતી અને તેમની શહીદીને સલામી સ્વરૂપે દેશના રક્ષા મંત્રાલયે પાકિસ્તાનને આ ટેંક એક અવોર્ડ તરીકે તેમજ યાદગારી સ્વરૂપ ભરતપુરને આપી હતી. દેશ વિદેશથી આવતા પર્યટકો આ ટેંકને જોઈએ ભારતના જવાનોની શહીદી અને વીરતાને સલામ કરે છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે 4 યુદ્ધ થઈ ચૂક્યા છે. 1947, 1965, 1971 અને 1999માં.

[yop_poll id=1877]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article