ક્રિકેટ સંન્યાસ પછી ધોની ખોલશે કડકનાથ મરધીનુ પોલટ્રીફાર્મ, બે હજાર બચ્ચાનો આપ્યો ઓર્ડર

|

Nov 13, 2020 | 10:11 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ, મહેન્દ્રસિંહ ધોની હવે ઝાબુંઆમાં કડકનાથ મરઘીઓનુ પોલટ્રીફાર્મ શરુ કરશે. ધોનીએ મધ્યપ્રદેશના ઝાબુઆમાં આદીવાસી ખેડૂતને કડકનાથ મરઘીઓના 2 હજાર બચ્ચા માટેનો ઓર્ડર આપી પણ દીધો છે. કેપ્ટન કુલ નજીકના જ ભવિષ્યમાં રાચી ખાતે ઝાબુઆના કડકનાથ મરઘી કે તેના ઈંડા વેચશે. ક્રિકેટમાંથી નિવૃતિ બાદ ધોનીએ જૈવિક ખેતીની સાથે સાથે કડકનાક મરઘીનું પોલટ્રીફાર્મ […]

ક્રિકેટ સંન્યાસ પછી ધોની ખોલશે કડકનાથ મરધીનુ પોલટ્રીફાર્મ, બે હજાર બચ્ચાનો આપ્યો ઓર્ડર

Follow us on

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ, મહેન્દ્રસિંહ ધોની હવે ઝાબુંઆમાં કડકનાથ મરઘીઓનુ પોલટ્રીફાર્મ શરુ કરશે. ધોનીએ મધ્યપ્રદેશના ઝાબુઆમાં આદીવાસી ખેડૂતને કડકનાથ મરઘીઓના 2 હજાર બચ્ચા માટેનો ઓર્ડર આપી પણ દીધો છે.

કેપ્ટન કુલ નજીકના જ ભવિષ્યમાં રાચી ખાતે ઝાબુઆના કડકનાથ મરઘી કે તેના ઈંડા વેચશે. ક્રિકેટમાંથી નિવૃતિ બાદ ધોનીએ જૈવિક ખેતીની સાથે સાથે કડકનાક મરઘીનું પોલટ્રીફાર્મ પણ શરુ કરવાનું નક્કી કર્યુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઝાબુઆના કડકનાથ મરઘી સંશોધન કેન્દ્રના નિયામકનું કહેવુ છે કે, ધોનીએ તેના મિત્ર દ્વારા અમારો સંપર્ક કર્યો હતો. પરંતુ તે સમયે અમારા સંશોધન કેન્દ્રમાં કડકનાથ મરધીના બચ્ચાઓ નહોતા. તેથી કડકનાથ મરઘીની પોલટ્રી ફાર્મ ધરાવતા ઝાબુઆના થાંદલાના આદિવાસી ખેડૂતનો સંપર્ક કરવા કહ્યું.

શુ છે કડકનાથ મરધીની ખાસિયત
કડકનાથ મરધી કાળુ માસ અને ગરમ તાસીર ધરાવતા ભારતના એકમાત્ર કુકડા-મરધીની જાત છે. ખાસ કરીને આદીવાસીઓ આ પ્રકારના કુકડાઓ અને મરધી ઉછેરે છે. સ્વાદથી લઈને તેના ભાવ કડક હોવાથી કડકનાથ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય મરધીની સરખામણીએ કડકનાથ મરધી ચારથી પાંચ મહિનામાં મોટી થાય છે. બજારમાં કડકનાખ મરધીની વેચાણ કિંમત 1500થી 1800 બોલાય છે. માસાહાર કરનારાઓમાં કડકનાથ મરધીનો સ્વાદ બહુ સારો હોવાથી તેની માંગ વધુ રહે છે. કડકનાથ મરધીની ખાસિયત એ છે કે, તેનુ માસ અને લોહી કાળા રંગનું હોય છે. જે ફેટ અને કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. ભારત સરકારે પણ જીઆઈ ટેગ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article