જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ દૂર કર્યા બાદ કેન્દ્ર સરકારે બજેટમાં જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનો દાવો કર્યો. નિર્મલા સીતારમણે બજેટમાં જમ્મુ કાશ્મીરને પણ ભેટ આપી હતી. તેમણે ઘોષણા કરી હતી કે ઉજ્જવલા યોજના અંતર્ગત જમ્મુ કાશ્મીરના એક કરોડ જેટલા લાભાર્થીઓને જોડવામાં આવશે. સાથે જ જમ્મુ કાશ્મીરની અંદર પણ ગેસ પાઇપલાઇન યોજનાની શરૂઆત કરવામાં આવશે. જે અંગે જમ્મુ કાશ્મીરના પ્રભારી તરૂણ ચુઘે કહ્યું કે બજેટથી કાશ્મીર ભારતનું મુખ્ય પર્યટન સ્થળ બની જશે. નવી નવી યોજનાઓ દ્વારા કાશ્મીરમાં વિકાસનો નવો યુગ શરૂ થશે.