પ્રજાસત્તાક દિવસના દિવસે દિલ્લીના લાલકિલ્લા ( Red fort ) પર હિંસા બાદ ઉપદ્રવી તત્વોએ લાલ કિલ્લાની અંદર પણ તોડફોડ કરી. ઉપદ્વવી તત્વો દ્વારા લાલ કિલ્લાના કાઉન્ટર પણ તોડફોડ કરવામાં આવી. ન માત્ર કાઉન્ટર પરંતુ લાલ કિલ્લાનો સિક્યોરીટી ચેકિંગ એરિયામાં પણ તોડફોડ કરી. સિક્યુરીટી ચેકિંગ માટેના સ્કેનર મશીન સહિત અનેક ડિવાઇસમાં પણ તોડફોડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસના દિવસે કૃષિ કાયદાની નાબૂદીની માંગ સાથે ખેડૂતો દ્વારા ટ્રેકટર માર્ચ કાઢવામાં આવી હતી પરંતુ ખેડૂતોની ટ્રેક્ટર માર્ચે અચાનક હિંસક બની અને લાલ કિલ્લા સહિત અનેક જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી .