VIDEO: દિલ્હીની જામા મસ્જિદમાં CAAના વિરોધમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકોએ કરી નારાબાજી

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. ત્યારે ઉત્તરપ્રદેશનના અલગ અલગ વિસ્તારોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે લગભગ 3 હજાર લોકોને કસ્ટડીમાં લીધા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રદર્શન કરનારાની ઓળખ કરી તેમની મિલકત દ્વારા નુકસાનની ભરપાઈ કરવામાં આવે. લખનઉં સહિત ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.   Facebook […]

VIDEO: દિલ્હીની જામા મસ્જિદમાં CAAના વિરોધમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકોએ કરી નારાબાજી
| Updated on: Dec 20, 2019 | 9:09 AM

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. ત્યારે ઉત્તરપ્રદેશનના અલગ અલગ વિસ્તારોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે લગભગ 3 હજાર લોકોને કસ્ટડીમાં લીધા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રદર્શન કરનારાની ઓળખ કરી તેમની મિલકત દ્વારા નુકસાનની ભરપાઈ કરવામાં આવે. લખનઉં સહિત ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પોલીસ 5 ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે. દિલ્હીના 14 પોલીસ સ્ટેશનમાંથી 12માં કલમ 144 લાગુ છે. પોલીસ ફ્લેગ માર્ચ કાઢી રહી છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર નજર રાખી રહી છે. દિલ્હીની જામા મસ્જિદ વિસ્તારમાં દુકાનદાર તેમની દુકાન બંધ કરી રહ્યા છે. નજફગઢ અને આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે જામા મસ્જિદની બહાર નારેબાજી શરૂ થઈ ગઈ છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પણ જામા મસ્જિદ પહોંચ્યા છે. ચંદ્રશેખર હાથમાં બંધારણ લઈ જામા મસ્જિદની અંદર પહોંચ્યા છે. ત્યારે દિલ્હી પોલીસે ચંદ્રશેખરને કસ્ટડીમાં લીધા છે. જામા મસ્જિદ પર દિલ્હી પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. આ સમયે જામા મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો નારેબાજી કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: CAAના વિરોધ પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન, દેશહિતમાં લોકોની નારાજગી અને ગુસ્સો સહન કરવો પડે છે