દિલ્હીના કરોલબાગમાં એક હોટેલમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 13 વ્યક્તિઓના મોત થઈ ગયાં. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોટેલમાંથી સાત લોકોને સલામત બહાર કાઢી લેવાયા છે. Web Stories View more આજનું રાશિફળ […]
Follow us on
દિલ્હીના કરોલબાગમાં એક હોટેલમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 13 વ્યક્તિઓના મોત થઈ ગયાં.
આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોટેલમાંથી સાત લોકોને સલામત બહાર કાઢી લેવાયા છે.
કરોલબાગ ખાતેની અર્પિત પૅલેસ હોટેલમાં આ આગ લાગી હતી કે જેને ઓલવવા ફાયર બ્રિગેડની 26 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. હોટેલમાં 40 રૂમ્સ છે. આગમાંથી જે 7 લોકોને બચાવવામાં આવ્યા, તેમાં કેરળના એક જ પરિવારના 7 લોકો છે.
આગનું કારણ શૉર્ટ સર્કિટ બતાવાયું છે. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને 6 પુરુષોનો સમાવેશ થાય છે.