દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકાર અને LG પાસેથી માંગ્યો જવાબ, ભાજપના નેતાએ જાહેર જમીન પર ગેરકાયદે બાંધકામ મામલે પાઠવી નોટિસ

|

Jan 17, 2022 | 9:26 PM

અરજદારે કોર્ટને અપીલ કરી છે કે, દોષિતો સામે કાર્યવાહી કરવાની સાથે ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવે.

દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકાર અને LG પાસેથી માંગ્યો જવાબ, ભાજપના નેતાએ જાહેર જમીન પર ગેરકાયદે બાંધકામ મામલે પાઠવી નોટિસ
Delhi High Court - File Photo

Follow us on

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કેજરીવાલ સરકાર (Kejriwal Government) અને ઉપ રાજયપાલને નોટિસ (Notice) પાઠવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા (Adesh Gupta) પર જાહેર જમીન પર ગેરકાયદે બાંધકામ (Illegal Construction) ના આરોપોને હાઈકોર્ટે ગંભીરતાથી લીધા છે. કોર્ટે આ મામલે દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. જાહેર હિતની અરજી પર કોર્ટે સરકાર અને LG પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તાએ જાહેર જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે બાંધકામ કર્યું છે.

ANIના સમાચાર અનુસાર, એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના નેતાએ પટેલ નગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ પાસેની સાર્વજનિક જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું છે. હાઈકોર્ટ (દિલ્હી હાઈકોર્ટ)ના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે ગેરકાયદે બાંધકામના કેસની સુનાવણી કરી હતી.

કોર્ટે દિલ્હી સરકાર, લેફ્ટનન્ટ ગવર્નર અને નોર્થ MCD, BSES યમુનાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ આદેશ કુમાર પાસેથી પણ જવાબ માંગ્યા છે. કોર્ટે તમામ પક્ષકારો પાસેથી 18 જાન્યુઆરી પહેલા જવાબ માંગ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભાજપના નેતા પર ગેરકાયદે બાંધકામનો આરોપ

આ મામલે આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીએ થશે. જણાવી દઈએ કે એડવોકેટ હેમંત ચૌધરી દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતા આદેશ ગુપ્તાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પટેલ નગરમાં તેમના ઘરની સામેની જાહેર જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે બાંધકામ કર્યું છે. અરજદારે કોર્ટને અપીલ કરી છે કે, દોષિતો સામે કાર્યવાહી કરવાની સાથે ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવે.

‘મ્યુનિસિપલ કાઉન્સેલર સામે પગલાં લેવા જોઈએ’

કોર્ટમાં અરજી કરતાં અરજદારે કહ્યું કે દિલ્હી સરકાર અને LGને તાત્કાલિક મ્યુનિસિપલ કાઉન્સેલર પર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે. વકીલે કહ્યું કે તેણે અત્યાર સુધી કથિત ભ્રષ્ટાચાર દ્વારા બિલ્ડર માફિયાઓ પાસેથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ પૈસા તેણે પ્રોપર્ટીમાં રોક્યા છે.

 

આ પણ વાંચો: West Bengal: ફિલ્મ નિર્દેશક અપર્ણા સેન સામે રાજદ્રોહનો આરોપ, BJP નેતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો: મોટો ઘટસ્પોટ : અવકાશી દિશાહિનતાને કારણે CDS રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ, IAFએ જાહેર કર્યો અહેવાલ

Next Article