દવા વિતરણને લઈને દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ, પૂછ્યું- શું ગૌતમ ગંભીર પાસે લાઇસન્સ છે? જાણો સમગ્ર મામલો

|

Apr 28, 2021 | 3:06 PM

પૂર્વ દિલ્હીના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના દર્દીઓ માટે મફતમાં ફૈબી ફ્લૂની દવા વિતરણ કરી રહ્યા છે. જેને લઈને હાઈકોર્ટે કડક સવાલો પૂછ્યા છે.

દવા વિતરણને લઈને દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ, પૂછ્યું- શું ગૌતમ ગંભીર પાસે લાઇસન્સ છે? જાણો સમગ્ર મામલો
ગૌતમ ગંભીર

Follow us on

દિલ્હી હાઈકોર્ટમાં ફરી એક વાર સુનાવણી દરમિયાન પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે શું ભાજપના સાંસદ ગૌતમ ગંભીર કોવિડ -19 ની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓનું વિતરણ કરવામાં અને તેમને મોટી માત્રામાં ખરીદવામાં સક્ષમ હતા?

સુનાવણી દરમિયાન મંગળવારે જસ્ટીસ વિપિન સાંઘી અને રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું કે કોઈ વ્યક્તિને આવી દવા વહેંચવાની છૂટ કેવી રીતે આપી શકાય? શું તેમની પાસે આ માટેનું લાઇસન્સ છે? સાંસદ દ્વારા આપવામાં આવતી દવાઓ માટે ડોકટરોની સલાહ લેવામાં આવી હતી? ન્યાયાધીશોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેને આશા છે કે તે બંધ થઈ ગઈ હશે, પરંતુ તે થઈ રહ્યું છે.

એક અઠવાડિયા પહેલા દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિલ્હી સરકારના વકીલે કહ્યું કે એક નેતા પૂર્વ દિલ્હીમાં ફૈબી ફ્લૂનું મફતમાં વિતરણ કરી રહ્યા છે. કોઈને જરૂરી દવાઓ મળી રહી નથી અને કોઈ તેને મફતમાં વહેંચી રહ્યું છે. ભલે આ યોગ્ય કામ હોય, પરંતુ આ કામની રીત યોગ્ય નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પૂર્વ દિલ્હીના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના દર્દીઓ માટે મફતમાં ફૈબી ફ્લૂની દવા વિતરણ કરી રહ્યા છે. આ માટે, દર્દી અથવા તેના પરિવારે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને ઓળખ કાર્ડ લાવવું પડશે. સવાલ ઉભો થયો હતો કે આ દવાઓ રેગ્યુલેટેડ નથી ત્યારે કોઈ કઈ રીતે આવું કરી શકે છે?

ગુજરાતમાં પણ આવા જ મુદ્દાઓ ઉઠ્યા હતા જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સમર્થન આપ્યું હતું . જ્યારે ઘણા લોકોએ વિતરણની રીત અને બીજી બાજુ શોર્ટેજને લઈને ઘણા સવાલો ઉભા રાક્યા હતા.

 

આ પણ વાંચો: “કોરોનાથી ડર નથી લાગતો સાહેબ, પંખાથી લાગે છે”, જાણો કોરોનાના દર્દીએ કેમ કહ્યું આવું

Published On - 3:05 pm, Wed, 28 April 21

Next Article