કોરોનાના નવા સ્ટ્રેન પર AIIMS ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું- દેશમાં અત્યાર સુધી કોઈ કેસ નહીં

|

Dec 21, 2020 | 11:29 PM

બ્રિટેનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેન પહેલા વાઈરસની અપેક્ષાથી ખુબ ઝડપથી ફેલાવવાની ક્ષમતાવાળો છે.

કોરોનાના નવા સ્ટ્રેન પર AIIMS ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું- દેશમાં અત્યાર સુધી કોઈ કેસ નહીં
DR. Randeep Guleria (File Image)

Follow us on

બ્રિટેનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેન પહેલા વાઈરસની અપેક્ષાથી ખુબ ઝડપથી ફેલાવવાની ક્ષમતાવાળો છે. આ કારણથી તમામ દેશ સતર્ક થઈ ગયા છે. ભારત સહિત ઘણા દેશોએ બ્રિટેનથી આવતી-જતી ઉડાનોને થોડા દિવસ માટે રદ કરી દીધી છે. તેની વચ્ચે આ વાઈરસને લઈ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે બ્રિટેને કોરોના વાઈરસના નવા મ્યુટેશનને ઓબ્ઝર્વ કર્યો છે.

તેમને જોયું કે કોરોનાનું આ નવું જે મ્યુટેશન થયું છે તે લંડન અને સાઉથ બ્રિટેનમાં જોવા મળ્યું છે. તેમને એ પણ ઓબ્ઝર્વ કર્યુ છે કે જ્યાં પણ આ મ્યુટેશન થયું છે, ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. તેથી જરૂરી છે કે આપણે તેને અન્ય દેશોમાં ના ફેલાવવા દઈએ. તેથી ઘણા દેશોએ યૂકેની પોતાની ફ્લાઈટ્સને બંધ કરી છે અને જે પણ લોકો આવી રહ્યા છે, તેમની સર્વિલાન્સ અને ટેસ્ટિંગ જોર-શોરથી શરૂ કરી દીધા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આવતીકાલથી નાઈટ કર્ફ્યૂ, 15 દિવસ સતર્ક રહેવાનો આદેશ

ત્યારે નવા સ્ટ્રેનને લઈ ભારતની તૈયારી પર ડૉ. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં અત્યાર સુધી એવો કોઈ કેસ સામે આવ્યો નથી પણ હવે જે કેસ આવી રહ્યા છે તેમના ટેસ્ટિંગ ખુબ જરૂરી છે, કારણ કે અત્યાર સુધી આપણે એ જોતા હતા કે કોઈ પોઝિટીવ છે કે નહીં. હવે કેટલીક હદ સુધી વાઈરસની જેનેટિક સીક્વન્સ જોવાની પણ જરૂરિયાત પડશે.

Next Article