Corona Third Wave : ‘આગામી 6થી 8 અઠવાડિયામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, જેને રોકવી અશક્ય છે’ : રણદીપ ગુલેરિયા

|

Jun 19, 2021 | 1:12 PM

Corona Third Wave : ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આપણે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ ફરી દેશમાં કોવિડ પ્રોટોકોલનો અભાવ છે. વધુમાં વધુ લોકોને રસી આપવાનું આયોજન છે.

Corona Third Wave : આગામી 6થી 8 અઠવાડિયામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, જેને રોકવી અશક્ય છે : રણદીપ ગુલેરિયા
Corona Third Wave:

Follow us on

Corona Third Wave : ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આપણે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ ફરી દેશમાં કોવિડ પ્રોટોકોલનો અભાવ છે. વધુમાં વધુ લોકોને રસી આપવાનું આયોજન છે.

એઈમ્સના વડા ડૉ.રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યું હતું કે, કોરોના રોગચાળાની ત્રીજી લહેર આગામી 6-8 અઠવાડિયામાં દેશમાં આવી શકે છે અને, કોરોનાની ત્રીજી લહેરને રોકવી અશક્ય છે. વળી એમ પણ કહ્યું કે દેશમાં મુખ્ય પડકાર મોટી સંખ્યામાં જનતાને રસી આપીને વધુ લોકોને આવરી લેવાનું છે અને કોવિશિલ્ડ રસીનું અંતર વધારવું આ ખોટું નથી, કારણ કે આમાંથી વધુ લોકોને બચાવી શકાય છે.

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આપણે અનલૉક કરવાનું શરૂ કર્યું છે, પરંતુ ફરીથી કોવિડ પ્રોટોકોલનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રથમ અને બીજી લહેરમાં વચ્ચે જે બન્યું તેમાંથી આપણે શીખ્યા નથી. ફરી દેશમાં લોકોની ભીડ વધી રહી છે. અને લોકો ખરીદી અને ફરવાના બહાને એકઠા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે કોરોના કેસની સંખ્યામાં વધારો થવામાં થોડો સમય લાગશે. અને તે આગામી છથી આઠ અઠવાડિયામાં થઈ શકે છે અથવા થોડો સમય લેશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અત્યાર સુધીમાં દેશની લગભગ 5 ટકા વસ્તીને બંને ડોઝ પ્રાપ્ત થયા છે.

તેમણે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર તેના પર નિર્ભર છે કે આપણે કોવિડ પ્રોટોકોલ અને ભીડને અટકાવવાના મામલે કેવી રીતે આગળ વધીએ છીએ, કોવિડ પ્રોટોકોલનું પાલન અનિવાર્ય છે. દેશની વસ્તીના માત્ર 5 ટકા લોકોને હજી સુધી બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ વર્ષના અંત સુધીમાં દેશના 130 કરોડ લોકોમાંથી 108 કરોડ લોકોને રસી આપવાનું સરકારનું લક્ષ્ય છે અને આ મુખ્ય પડકાર છે.

કોવિડ પ્રોટોકોલ સાથે સખત દેખરેખ જરૂરી છે

તેમણે કહ્યું કે નવી કોરોનાની લહેર સામાન્ય રીતે ત્રણ મહિના સુધીનો સમય લે છે, પરંતુ, વિવિધ પરિબળોના આધારે તે ઘણો ઓછો સમય લેશે. ઉપરાંત, કોવિડ પ્રોટોકોલ સિવાય, આપણે કડક દેખરેખની ખાતરી કરવાની જરૂર છે. છેલ્લી વખત અમે એક નવું વેરિઅન્ટ જોયું, જે બહારથી આવ્યું અને અહીં વિકસ્યું.

Next Article