રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ 3 પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં થઈ શકે છે મોટો નિર્ણય

|

May 25, 2019 | 9:52 AM

રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ કોંગ્રેસ વર્કિંગ કમિટી સામે રાખી દીધો છે. ત્યારે સમગ્ર કમિટીના મેમ્બરો દ્વારા એક જ વાત કહેવામાં આવે છે કે હાર માટે સૌ કોઈ જવાબદાર છે. રાહુલ ગાંધીએ પરિણામના દિવસે જ હારની તમામ જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી. તો રાજીનામાના પ્રસ્તાવ પછી આ ત્રણ શક્યતાઓ સામે આવી રહી છે. રાહુલ ગાંધીના […]

રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ 3 પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં થઈ શકે છે મોટો નિર્ણય

Follow us on

રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ કોંગ્રેસ વર્કિંગ કમિટી સામે રાખી દીધો છે. ત્યારે સમગ્ર કમિટીના મેમ્બરો દ્વારા એક જ વાત કહેવામાં આવે છે કે હાર માટે સૌ કોઈ જવાબદાર છે. રાહુલ ગાંધીએ પરિણામના દિવસે જ હારની તમામ જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી. તો રાજીનામાના પ્રસ્તાવ પછી આ ત્રણ શક્યતાઓ સામે આવી રહી છે. રાહુલ ગાંધીના રાજીનામાને લઈ કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા અસ્વીકાર થઈ શકે છે અથવા કોઈ બીજી પરિસ્થિતિમાં જો સ્વીકાર થયો તો પછી શું થવાની સંભાવના છે.

TV9 Gujarati

1-રાહુલ ગાંધી જો પોતાના રાજીનામાનો પ્રસ્તાવ રાખે તો કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા સામૂહિક જવાબદારી લઈને તેનો અસ્વીકારી કરી દેવાશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

2-રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી પણ શકે છે. હાર થયા બાદ કોંગ્રેસમાં જાતપરિક્ષણની જરૂર છે અને સાથે એક દબાણ પણ સર્જાયું છે. તો આ પરિસ્થિતિમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકાર પણ થઈ શકે છે. જો બીજી પરિસ્થિતિ મુજબ રાહુલનું રાજીનામું સ્વીકાર થઈ શકે તો પછી એવા પ્રશ્ન ઉભા થશે કે હવે કોણ…રાહુલ બાદ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવામાં અમરીન્દર સિંહ, અશોક ગહલોત અને મલ્લિકાર્જુન ખડગેના નામની ચર્ચા થઈ શકે છે. પણ મળતી માહિતી મુજબ આવી કોઈ સ્થિતિનું નિર્માણ થવું થોડું અસંભવીત છે.

3-પરિસ્થિતિમાં એવી સંભાવના છે કે રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપે જ નહીં. કારણ કે રાહુલના રાજીનામાના પ્રસ્તાવથી કોંગ્રેસ નબળી સાબિત થઈ શકે છે. જેથી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં માત્ર હારના કારણો પર ચર્ચા પર ભાર દેવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article