Power Crisis: અંગ દઝાડતી ગરમી વચ્ચે દેશમાં કોલસાની અછત, પંજાબ-બિહાર સહિત અનેક રાજ્યોમાં તોળાતું વીજ સંકટ

|

Apr 29, 2022 | 10:32 PM

ઝારખંડ, હરિયાણા, બિહાર, પંજાબ અને મહારાષ્ટ્ર એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં પાવર કાપ (power cuts) શરૂ થયો છે. સ્થિતિ એવી છે કે મહત્વપૂર્ણ સ્થાપનોમાં વીજળી કાપની સંભાવનાને જોતા દિલ્હીએ કેન્દ્રને પત્ર લખ્યો છે.

Power Crisis: અંગ દઝાડતી ગરમી વચ્ચે દેશમાં કોલસાની અછત, પંજાબ-બિહાર સહિત અનેક રાજ્યોમાં તોળાતું વીજ સંકટ
Power Crisis

Follow us on

દેશમાં ઝડપથી વધી રહેલા તાપમાનની (Temperature) અસર હવે વીજળીની માગ પર દેખાઈ રહી છે. દેશના ઘણા ભાગોમાં, લોકો અત્યારથી વીજ કાપનો સામનો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધના (Russia-Ukraine War) કારણે આયાતી કોલસાની કિંમતોમાં ભારે વધારો થયો છે. આ સાથે કેટલાક પાવર પ્લાન્ટ તેમની સંપૂર્ણ ક્ષમતા કરતા ઓછી વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે, જેના કારણે દેશમાં વીજળીનું સંકટ વધી રહ્યું છે. વીજ સંકટ વચ્ચે આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે થર્મલ પ્લાન્ટમાં કોલસાના સ્ટોકની ભારે અછત છે.

આ અહેવાલો વચ્ચે, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે દેશના થર્મલ પ્લાન્ટ્સમાં લગભગ 22 મિલિયન ટન કોલસો છે, જે 10 દિવસ માટે પૂરતો છે અને તેને ફરીથી ભરવામાં આવી રહ્યો છે. ઝારખંડ, હરિયાણા, બિહાર, પંજાબ અને મહારાષ્ટ્ર એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં પાવર કાપ શરૂ થયો છે. સ્થિતિ એવી છે કે મહત્વપૂર્ણ સ્થાપનોમાં વીજળી કાપની સંભાવનાને જોતા દિલ્હીએ કેન્દ્રને પત્ર લખ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ પરિસ્થિતિને પહોંચી વળવા પગલાં લઈ રહ્યા છે.

1. દિલ્હી: દિલ્હી સરકારે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પાવર પ્લાન્ટ્સમાં કોલસાની સંભવિત અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ માટે દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને પૂરતા પ્રમાણમાં કોલસાનો પુરવઠો સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને બુધવારે દિલ્હી સચિવાલયમાં આ સંદર્ભે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. હાલમાં, વીજળી સપ્લાય કરતા વિવિધ થર્મલ સ્ટેશનોમાં કોલસાની અછત છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) ના દાદરી અને ઝજ્જર (અરવલ્લી), બંને પાવર પ્લાન્ટ મુખ્યત્વે દિલ્હીમાં વીજળીની જરૂરિયાત પૂરી કરે છે. જો કે, આ પાવર પ્લાન્ટમાં પણ કોલસાનો ખૂબ ઓછો સ્ટોક છે. મંત્રીએ ખાતરી આપી કે દિલ્હી સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને વીજળીની અછતનો સામનો ન કરવો પડે તે માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

2. હરિયાણા: રાજ્યના ઉર્જા પ્રધાન રણજિત સિંહે જણાવ્યું હતું કે થર્મલ પાવર પ્લાન્ટના કોલસાના સ્ટોકમાં અછતને ધ્યાનમાં રાખીને, હરિયાણા હવે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી વધારાની વીજળી લેશે. મંત્રીએ કહ્યું કે, અમે એક અઠવાડિયામાં પરિસ્થિતિનો સામનો કરીશું અને અદાણી પાસેથી 1200-1400 મેગાવોટની વધારાની વીજળી લેવામાં આવશે. તાપમાનમાં વધારો થતાં વીજળીની માગમાં પણ વધારો થયો છે. આ સાથે 350 મેગાવોટ વધારાની વીજળી છત્તીસગઢમાંથી અને 150 મેગાવોટ મધ્યપ્રદેશમાંથી લેવામાં આવશે.

3. બિહાર: બિહાર પણ આ સખત ઉનાળા દરમિયાન વીજળીની અછતનો સામનો કરી રહેલા રાજ્યોમાંનું એક છે. રાજ્યના ઉર્જા મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવે કહ્યું કે એક-બે દિવસમાં લગભગ 1000 મેગાવોટની વીજળીની અછત દૂર થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે વીજ પુરવઠામાં ઘટાડાને લઈને કેન્દ્ર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.

4. ઝારખંડ: રાજ્યને વીજળી પૂરી પાડતા થર્મલ પાવર પ્લાન્ટ્સમાં વીજ ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ઝારખંડ પણ પાવર કટનો સામનો કરી રહ્યું છે. રાંચીના એક દુકાનદારે જણાવ્યું કે અહીં 3 થી 4 કલાક પાવર કટ છે. અન્ય ઘણા દુકાનદારોએ પણ પાવર કટની ફરિયાદ કરી છે, જેના કારણે તેમના ધંધા પર અસર પડી રહી છે.

સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડના એમડી-ચેરમેન પીએમ પ્રસાદે કહ્યું કે તેમણે સીસીએલ અને ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ઈસીએલ)ના ઉત્પાદનની સમીક્ષા કરી છે. અમને (CCL) પાવર પ્લાન્ટ્સને દરરોજ 2.20 લાખ ટન કોલસો આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ECLએ 75,000 ટન કોલસો આપવાનું કહ્યું છે. હાલમાં અમારી પાસે 6.6 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે, જેમાંથી દરરોજ 2 લાખ ટનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તદનુસાર, અમારી પાસે હવે 30 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે.

5. પંજાબઃ પાવર જનરેશનમાં ઘટાડાને કારણે પંજાબમાં પણ લોકો પાવર કટનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે સુધારાત્મક પગલાં ભરવાની ખાતરી આપી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભગવંત માન આ સપ્તાહની શરૂઆતમાં આગામી ડાંગરની સિઝન દરમિયાન પંજાબને નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય ઉર્જા પ્રધાન આરકે સિંહને મળ્યા હતા.

આ પણ વાંચો :  PM MODI 30મી એપ્રિલે મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટ ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે

Next Article