President Election : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, શું NCP ધારાસભ્યોના મત વિભાજિત થશે ? સીએમ શિંદેએ આપ્યુ છે મહારાષ્ટ્રમાંથી 200 વોટ અપાવવાનું વચન

|

Jul 18, 2022 | 12:10 PM

દાવા મુજબ, જો મહારાષ્ટ્રમાંથી (Maharashtra) NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 200 વોટ મળે છે તો કોંગ્રેસનો કટપ્પા કોણ હશે, આ સવાલ સામે આવશે. મહારાષ્ટ્રની નવી બ્લોકબસ્ટરની રિલીઝ માટે 21મી જુલાઈ સુધી રાહ જોવી પડશે.

President Election : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, શું NCP ધારાસભ્યોના મત વિભાજિત થશે ? સીએમ શિંદેએ આપ્યુ છે મહારાષ્ટ્રમાંથી 200 વોટ અપાવવાનું વચન
Presidential Election 2022

Follow us on

રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election Voting Starts) માટે આજે (18 જુલાઈ, સોમવાર)થી મતદાન શરૂ થઈ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ મતદાન કરી દીધુ છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ (CM Eknath Shinde) પણ મતદાન કર્યું છે. સીએમ શિંદેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાંથી NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુના સમર્થનમાં 200 વોટ આવશે. એટલે કે વિધાન પરિષદની ચૂંટણી પછી જે રીતે મહારાષ્ટ્રના રાજકારણનું બ્લોકબસ્ટર ચિત્ર બહાર આવ્યું હતું, જેનો અંત ઉદ્ધવ ઠાકરેના રાજીનામા અને શિંદે-ફડણવીસ સરકારની રચનામાં જોવા મળ્યો હતો, શું રાષ્ટ્રપતિની ચૂંટણી પછી પણ મહારાષ્ટ્રમાં આવી જ સિક્વલ રિલીઝ થશે? બધાની નજર આના પર ટકેલી છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ખબર પડી કે શિવસેનાના કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો? પરંતુ રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ તેનો પણ જવાબ મળે કે, કોંગ્રેસના કટપ્પાએ પણ બાહુબલીને શા માટે માર્યો ?

આ દરમિયાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, નેતાઓ સુધીર મુનગંટીવાર અને આશિષ શેલારે પણ સીએમ શિંદેના દ્રૌપદી મુર્મુને મહારાષ્ટ્રમાંથી 200 મત મળવાના દાવાને ફરીથી ઉચ્ચાર્યો છે. આ બધાએ કહ્યું છે કે, પાર્ટી લાઇનમાંથી બહાર આવીને ધારાસભ્યો સ્વતંત્રતા બાદ બહેન દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વોટ કરશે. એટલે કે કોંગ્રેસ-એનસીપીના ધારાસભ્યો વિભાજિત થશે તે સ્પષ્ટ છે. પરંતુ ભાજપના નેતાઓ તેને મતોની ચોરી કહી રહ્યા નથી. સુધીર મુનગંટીવાર કહે છે કે અંતરાત્માનો અવાજ સાંભળ્યા પછી જ આવું થશે.

કોંગ્રેસના 12થી 15 ધારાસભ્યો સીએમ શિંદેના સંપર્કમાં હોવાની વાત અફવા – થોરાટ

આ દરમિયાન, સૂત્રો દ્વારા અહેવાલ છે કે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો સીએમ શિંદેના સતત સંપર્કમાં છે. તેમાંથી એક દક્ષિણ મહારાષ્ટ્રના ધારાસભ્ય પણ છે. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટે આ દાવાને અફવા ગણાવ્યો છે. પરંતુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને કહ્યું છે કે, જો કોંગ્રેસના કોઈપણ ધારાસભ્ય પાર્ટી લાઈન છોડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ભાજપના નેતાઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ પક્ષનો કોઈ વ્હીપ લાગુ પડતો નથી. આ એક ગુપ્ત મતદાન છે. મહારાષ્ટ્રમાંથી દ્રૌપદી મુર્મુ બહેનને 200 મત મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગણતરીની દૃષ્ટિએ જો ભાજપ અને શિંદે જૂથ અને તેમના સમર્થક નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યોના મતો ભેગા કરવામાં આવે તો આ આંકડો ખેંચીને 170 સુધી પહોંચે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કર્યું છે. તેમના 15 મત ઉમેરીએ તો વાત 185 પર આવે છે. બાકીના 15માંથી કોંગ્રેસના સાત-આઠ ધારાસભ્યોના મત ઉમેરો જેમણે વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું, તો પણ કોંગ્રેસ અને એનસીપીના કેટલાક વધુ ધારાસભ્યો વિભાજિત થાય ત્યારે જ આંકડો 200 સુધી પહોંચી શકે છે.

કોંગ્રેસના કટપ્પા બાહુબલીને મારશે કે નહીં? 21મી જુલાઈએ ખબર પડશે

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન છે પરંતુ મતગણતરી 21 જુલાઈએ થવાની છે. ત્યારે જ ખબર પડશે કે સીએમ શિંદે અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિતની બીજેપી ટીમના દાવા સાચા હતા કે નહીં. અને જો તેમના દાવા મુજબ મહારાષ્ટ્રમાંથી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 200 વોટ મળે છે તો કોંગ્રેસના કટપ્પા કોણ છે તે સામે આવશે.

Next Article