વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) કોરોનાના કાળ સમાન રસીકરણ મહાઅભિયાનના (Corona vaccination ) બીજા તબક્કામાં રસી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેસાથે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો (Chief Ministers of various states ) પણ કોરોનાની રસી લેશે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સને ( Corona Warriors ) રસી આપવા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. કોરોના રસીકરણના બીજા તબક્કામાં સુરક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓ અને મહેસુલી કર્મચારીઓને રસી આપવામાં આવનાર છે. સત્તાસ્થાને બેઠેલા રાજકીય અગ્રણીઓએ કોરોનાની રસી સૌ પહેલા ના લેવા અંગે કેટલાકેસોશીયલ મીડિયામાં ટીકા કરી હતી.
Published On - 11:42 am, Thu, 21 January 21