રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે.
સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે અને ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે, ચાર ધામમાં મંદિરના પૂજારીઓને જ ફક્ત પૂજા વિધિ કરવા માટે મંજૂરી રહેશે.