CDS Bipin Rawat Death News Live Updates: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈનિકો બુધવારે તમિલનાડુના નીલગિરિસ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. કોઈમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત Mi-સિરીઝના હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી માત્ર એક જ બચે છે. ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS બિપિન રાવત અને તેમના પત્નિ મધુલિકા રાવત સહીતના 13 શહીદના પાર્થિવ દેહને દિલ્લીના પાલમ એરપોર્ટ ખાતે લવાયા હતા. જ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra modi ), સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આર્પી હતી. શહીદોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરી કુમાર અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
The 3 service chiefs – Army Chief Gen MM Naravane, Navy Chief Admiral R Hari Kumar & IAF chief Air Chief Marshal VR Chaudhari pay last respects to CDS Gen Bipin Rawat, his wife Madhulika Rawat & other 11 Armed Forces personnel who lost their lives in military chopper crash y’day. pic.twitter.com/HoXt8Jw0U6
— ANI (@ANI) December 9, 2021
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શહીદોના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પી નમન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોના પરિવારને મળીને તમામમે સાંત્વના પાઠવી અને દુખ વ્યક્ત કર્યુ
Prime Minister #NarendraModi pays last respects to CDS General #BipinRawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the #TamilNaduChopperCrash yesterday.#IAFHelicopterCrash #ChopperCrash #TV9News pic.twitter.com/BhycdwIQYy
— tv9gujarati (@tv9gujarati) December 9, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર શહીદોને નમન કરી શ્રદ્ધાંજલિ આપી. તમામ શહીદોના પાર્થિવ દેહને પુષ્પ અર્પણ કર્યા
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ પાલમ એરબેઝ પર પહોંચી ગયા છે અને સૈનિકોના પરિવારજનોને મળી રહ્યા છે. ટુંક સમયમાં તેઓ સીડીએસ રાવત સહિત તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને વધુ સારવાર માટે બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Indian Air Force’s Group Captain Varun Singh, the lone survivor of the Coonoor military chopper crash, shifted to Command Hospital, Bengaluru for further treatment pic.twitter.com/3zt4MZbsCh
— ANI (@ANI) December 9, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CDS બિપિન રાવત સહિત તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપી
CDS રાવત, તેમની પત્ની મદુલિકા રાવત અને અન્ય 11 લોકોના પાર્થિવ અવશેષોને પાલમ એરબેઝ પર રાખવામાં આવ્યા, જ્યાં તેમના પરિવારે શ્રદ્ધાંજલિ આપી હતી.
પાલમ એરબેઝ પર લાન્સ નાયક વિવેક કુમારનો મૃતદેહ રાખવામાં આવ્યો છે
#TamilNaduChopperCrash | The mortal remains of Lance Naik Vivek Kumar being kept at Palam airbase. pic.twitter.com/cg0vnHU6Ux
— ANI (@ANI) December 9, 2021
સામાન્ય નાગરિકો CDS જનરલ બિપિન રાવતને આવતીકાલે બપોરે 11થી 12ઃ30 વાગ્યે CDS કારજ માર્ગ સ્થિત નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી શકે છે. તે જ સમયે, લશ્કરી કર્મચારીઓ 12.30-13.30 વચ્ચે શ્રદ્ધાંજલિ આપી શકે છે. આ પછી, અંતિમ સંસ્કાર માટે મૃતદેહને દિલ્હી કેન્ટ બ્રાર સ્ક્વેર પર લઈ જવામાં આવશે.
લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર એલએસ લિદ્દરના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 9.15 વાગ્યે દિલ્હી કેન્ટમાં કરવામાં આવશે.
CDS બિપિન રાવત સહિત તમામ શહીદ જવાનોના પાર્થિવ દેહ દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે.
Published On - 8:03 pm, Thu, 9 December 21