CBI (Central Bureau of Investigation)એ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીબીઆઈ (CBI)એ દિલ્હી-એનસીઆરના લગભગ 20 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. દરોડા અંગે ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું છે કે અમે તપાસ એજન્સીઓને પૂરી ઈમાનદારી સાથે સહયોગ કરીશું. સીબીઆઈ (CBI)એ આ દરોડા એક્સાઈઝ પોલિસીના મામલામાં પાડ્યા છે.
सीबीआई आई है. उनका स्वागत है. हम कट्टर ईमानदार हैं . लाखों बच्चों का भविष्य बना रहे हैं.
बहुत ही दुर्भाग्यपूर्ण है कि हमारे देश में जो अच्छा काम करता है उसे इसी तरह परेशान किया जाता है. इसीलिए हमारा देश अभी तक नम्बर-1 नहीं बन पाया.
— Manish Sisodia (@msisodia) August 19, 2022
છાપેમારી બાદ મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી લખ્યું કે, સીબીઆઈ આવો તમારું સ્વાગત છે, અમે ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. તેણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે, તેને આવી રીતે જ પરેશાન કરવામાં આવે છે. આજ કારણે આપણો દેશ હજુ સુધી નંબર વન બની શક્યો નથી.
हम सीबीआई का स्वागत करते हैं. जाँच में पूरा सहयोग देंगे ताकि सच जल्द सामने आ सके. अभी तक मुझ पर कई केस किए लेकिन कुछ नहीं निकला. इसमें भी कुछ नहीं निकलेगा. देश में अच्छी शिक्षा के लिए मेरा काम रोका नहीं जा सकता.
— Manish Sisodia (@msisodia) August 19, 2022
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પર સીબીઆઈના દરોડાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આખી દુનિયા દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની ચર્ચા કરી રહી છે. તેઓ આને રોકવા માંગે છે, તેથી જ દિલ્હીના આરોગ્ય અને શિક્ષણ મંત્રીઓ પર દરોડા અને ધરપકડો ચાલી રહી છે. 75 વર્ષમાં જેણે પણ સારું કામ કરવાનો પ્રયાસ કર્યો તેને રોકી દેવામાં આવ્યો. જેના કારણે ભારત પાછળ રહી ગયું. પરંતુ અમે દિલ્હીના સારા કામને રોકવા નહીં દઈએ.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 8:48 am, Fri, 19 August 22