પરંતુ શું આપ જાણો છો કે 135 કરોડની વસતીમાં 120 કરોડ હિન્દુઓની વસતી ધરાવતા આપણા ભારત દેશમાં એવા પણ રાજ્યો છે કે જ્યાં હિન્દુઓ લઘુમતીમાં છે.
ભાજપ નેતા અને વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયે આ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો અપાવવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે કે જેના પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાએ નિર્દેશ આપ્યો, ‘જે રાજ્યોમાં સંખ્યાના હિસાબે હિન્દુઓ ઓછા છે, શું તેમને લઘુમતીઓને મળતા સરકારી ફાયદા આપી શકાય છે ? શું આવા રાજ્યોમાં આ આધારે લઘુમતીનો દરજ્જો કેન્દ્રીય કક્ષાએ અલગથી નક્કી કરી શકાય છે ?’
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય લઘુમતી પંચ (NCM)ને 3 મહિનામાં આનાથી સંબંધિત રિપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. જજોની બેંચે કહ્યું, ‘સૌપ્રથમ એનસીએમે આ વાત પર વિચાર કરવો છે કે હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે કે નહીં. રિટ પિટિશન પર વિચાર કરવાના સ્થાને અરજીકર્તાની અપીલ પર સુનાવણી કરતા અમને આ યોગ્ય લાગી રહ્યું છે કે એનસીએમ આ બાબતને જુએ. એનસીએમે નવેમ્બર-2017ના આંકડાઓના આધારે આ મુદ્દે પોતાનો રિપોર્ટ તૈયાર કરવો જોઇએ અને જેટલું વહેલું શક્ય હોય, રિપોર્ટ જમા કરાવવામાં આવે. શ્રેષ્ઠ રહેશે કે આ રિપોર્ટ 3 મહિનામાં જ જમા કરાવી દેવામાં આવે.’
વસતી ગણતરી 2011ના આંકડાઓ મુજબ જે 8 રાજ્યોમાં હિન્દુઓની સંખ્યા ઓછી છે, તેમાં લક્ષદ્વીપ (2.5 ટકા), મિઝોરમ (2.75 ટકા), નાગાલૅંડ (8.75 ટકા), મેઘાલય (11.53 ટકા), જમ્મુ-કાશ્મીર (28.44 ટકા), અરુણાચલ પ્રદેશ (29 ટકા), મણિપુર (31.39 ટકા) અને પંજાબ (38.40 ટકા).
[yop_poll id=1338]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]