હવે આઈટીઆર ભરવામાં ફાયદો થશે. નાણાં પ્રધાને કહ્યું, 'કરદાતાઓની સુવિધા માટે આઇટીઆર ભરતી વખતે, પગાર, આવક, કર ચૂકવણીની માહિતી, ટીડીએસની જાણકારી અગાઉથી ભરેલી હોય છે. હવે તેને વધુ સરળ બનાવવામાં આવ્યું છે. આ બાદ સિક્યોરિટીઝમાંથી મૂડી લાભ, બેંક-પોસ્ટ ઓફિસમાંથી મળેલા ડિવિડન્ડ આવક અને વ્યાજની અગાઉથી જ ભરેલી આવશે." આવી સ્થિતિમાં લોકોને ટેક્સ ભરવામાં સરળતા રહેશે.