Breaking News: ઓડિશાના બાલાસોર પહોચ્યાં PM મોદી, ઘટના સ્થળની લીધી મુલાકાત

|

Jun 03, 2023 | 4:41 PM

ભારતીય વડાપ્રધાન દુર્ઘટનાનો તાગ મેળવવા ખુદ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. પીએમ મોદી ગ્રાઉન્ડ ઝીરો પર પહોચીને સમગ્ર ઘટનાને લઈને શું કામગીરી કરવામાં આવી તેને લઈને જાણકારી મેળવી રહ્યા છે.

Breaking News: ઓડિશાના બાલાસોર પહોચ્યાં PM મોદી, ઘટના સ્થળની લીધી મુલાકાત
breaking news pm modi reached balasore

Follow us on

ઓડિશાના બોલોસરમાં ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનાને કારણે થયેલી તબાહીની તસવીરો સતત સામે આવી રહી છે. સેંકડો લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે ભારતીય વડાપ્રધાન ખુદ ઘટનાનો તાગ મેળવવા ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. પીએમ મોદી ગ્રાઉન્ડ ઝીરો પર પહોચીને સમગ્ર ઘટનાને લઈને શું કામગીરી કરવામાં આવી તેને લઈને જાણકારી મેળવી રહ્યા છે.

પીએમ પહોચ્યા ઓડિશા

રેલ્વે મંત્રી વડાપ્રધાનને અકસ્માત બાદ થયેલા કામની જાણકારી આપી રહ્યા છે. રેલવે અધિકારીઓએ પીએમને કેટલીક ફાઈલો બતાવી છે, જેમાં અકસ્માતની માહિતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર મેડિકલ કોલેજની પણ મુલાકાત લઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તે જ સમયે, બાલાસોર આવતા પહેલા પીએમ મોદીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઓડિશા માર્ગ અકસ્માત સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રેલવેએ કહ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારજનોને 10 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમના રાજ્યના જે લોકોએ આ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. રેલ્વેએ જણાવ્યું છે કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી છે

ભારતમાં વર્તમાન રેકોર્ડ મુજબ આ ટ્રેન અકસ્માત ચોથો સૌથી ભયાનક અકસ્માત છે. આ ટ્રેન અકસ્માત બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ થયો હતો. હાલમાં રેલવે ત્રણેય ટ્રેનો એકબીજા સાથે કેવી રીતે અથડાઈ તેની તપાસમાં લાગેલી છે. ભારતી રેલવેએ એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાની તપાસ એએમ ચૌધરીને સોંપવામાં આવી છે, જેઓ દક્ષિણ પૂર્વ સર્કલમાં રેલવે સુરક્ષા કમિશનર છે. રેલવે સેફ્ટી કમિશનર નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે.

કેવી રીતે થયો અકસ્માત?

ઓડિશામાં આ ટ્રેન દુર્ઘટનામાં ત્રણ ટ્રેનો સંડોવાયેલી છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને તેની બાજુમાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસના પાછળના કોચ ત્રીજા ટ્રેક પર પહોંચી ગયા હતા. તે જ સમયે, બીજી બાજુથી આવી રહેલી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરેલી બોગી સાથે અથડાઈ હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:52 pm, Sat, 3 June 23

Next Article