Mukhtar Ansari Convicted : વારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારી સાથે સંબંધિત 32 વર્ષ જૂના કેસમાં સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે. સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો છે. સોમવારે કોર્ટે મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવ્યો હતો. મુખ્તાર અંસારીને કોર્ટ લંચ બાદ સજા સંભળાવશે.
આ પણ વાંચો : Mukhtar Ansari: મુખ્તાર અંસારી કે જેનાથી બધા ડરતા હતા, તો એ પોતે કોનાથી ડરતો હતો ? વાંચો IPS ઓફિસરે કહેલી TRUE STORY
આ પહેલા 22 મેના રોજ અન્સારી આ કેસમાં બાંદા જેલમાંથી વર્ચ્યુઅલ હાજર થયો હતો, ત્યારબાદ જજે ચુકાદો અનામત રાખ્યો હતો. બદમાશોએ 3 ઓગસ્ટ 1991ના રોજ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ત્યારબાદ અવધેશના ભાઈ અજય રાયે પાંચ લોકોને આરોપી બનાવ્યા, જેમાં એક મુખ્તાર પણ સામેલ હતો.
કોર્ટનો આ નિર્ણય 32 વર્ષ બાદ આવ્યો છે. બપોરે બે વાગ્યા પછી કોર્ટ સજાની જાહેરાત કરશે. અવધેશ રાયની ચેતગંજ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી.
અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારી દોષિત, 32 વર્ષ બાદ આવ્યો ચુકાદો #MukharAnsari #Varanasi #UttarPradesh #MukhtarAnsariConvicted #TV9News pic.twitter.com/WfE5l8EBp4
— Tv9 Gujarati (@tv9gujarati) June 5, 2023
પૂર્વ ધારાસભ્યનું નામ હતું સામેલ
અજય રાયે વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ હત્યા કેસમાં મુખ્તાર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું નામ પણ સામે આવ્યું હતું. આ સાથે પોલીસે ભીમ સિંહ અને રાકેશને પણ આરોપી બનાવ્યા હતા. આ એક હાઈપ્રોફાઈલ કેસ હતો, જેના કારણે તત્કાલીન સરકારે સીબીસીઆઈડીને તપાસ સોંપી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે જે દિવસે અવધેશની હત્યા થઈ તે દિવસે શહેરમાં વરસાદ પડી રહ્યો હતો. હળવો વરસાદ વરસી રહ્યો હતો. અવધેશ રાય અને તેનો ભાઈ અજય રાય ઘરની સામે વાત કરી રહ્યા હતા. ત્યારે અચાનક ઘરની સામે એક મારુતિ આવી.બંને ભાઈઓ કંઈક સમજી શકે ત્યાં સુધીમાં કારમાંથી ઉતરેલા બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં અવધેશ રાય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને તાત્કાલિક શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા અને તેનું મૃત્યુ થયું હતું.
Published On - 12:17 pm, Mon, 5 June 23