ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંનેને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. આ હત્યા પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે થઈ હતી.
Ad
Atiq Ahmed and his brother Ashraf Ahmed shot dead
Follow us on
ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. બંનેને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. આ હત્યા પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે થઈ હતી. બંનેના હાથમાં હાથકડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અશરફના માથામાં ગોળી વાગી હતી.
Uttar Pradesh | Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed shot dead while being taken for medical in Prayagraj.#AtiqueAhmed#uttarpradesh#tv9news
મળતી માહિતી મુજબ પોલીસના વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી અતીક અને અશરફ અહેમદનું મોત થયું હતું. પોલીસે હત્યા કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે. એક મીડિયા અહેવાલ મુજબ ત્રણ હુમલાખોરનું નામ સચિન, લવલેશ અને અરૂણ જણાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ હુમલાખોરોએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ છે.
પોલીસને અતીક અને અશરફના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી
પોલીસને અતીક અને અશરફના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. તમને જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસ ઘણા દિવસોથી અતીક અહેમદ અને અશરફની પૂછપરછ કરી રહી હતી. માફિયા અતીકના પુત્ર અસદની ગુરુવારે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, હવે અતીક અને અશરફ બંનેની શનિવારે રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે.
24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી
યુપીના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની માફિયાઓએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ માફિયાઓએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન તેનું અને તેના એક ગનર્સનું ગોળી વાગવાથી મોત થયું હતું. જ્યારે અન્ય ગનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. અતીક પર આ હત્યા કેસમાં કાવતરું ઘડવાનો આરોપ છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર