Breaking News: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી ફગાવાઈ, PM મોદી જ કરશે ઉદ્ધાટન

|

May 26, 2023 | 12:56 PM

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

Breaking News: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી ફગાવાઈ, PM મોદી જ કરશે ઉદ્ધાટન
The new parliament

Follow us on

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નવા સંસદનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે? આભારી બનો કે અમે તમને દંડ નથી કરી રહ્યા.

અરજીમાં શું કહેવામાં આવ્યું?

આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને દાખલ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારત સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આમ કરવાથી બંધારણનું સન્માન થતું નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ એ ભારતની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહો રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ પાસે કોઈપણ ગૃહને બોલાવવાની અને રદ કરવાની સત્તા છે. આ સાથે, રાષ્ટ્રપતિ પાસે સંસદ અથવા લોકસભાને ભંગ કરવાની સત્તા પણ છે.

નવી સંસદના ઉદ્ઘાટનના મુદ્દે શું હતો વિવાદ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ મામલે ભારે રાજનીતિ ચાલી રહી છે. તમામ વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશની સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા થવું જોઈએ, વડાપ્રધાન દ્વારા નહીં. એટલું જ નહીં, અત્યાર સુધી 21 વિપક્ષી પાર્ટીઓએ પણ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, NDAના ઘટક પક્ષો સહિત 25 પક્ષોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.

કયા પક્ષો આ મામલે કરી રહ્યા છે વિરોધ

21 વિરોધ પક્ષોએ સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ), આપ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, જેએમએમ, કેરળ કોંગ્રેસ (મણિ), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, આરએલડી, ટીએમસી, જેડીયુ, એનસીપી, સીપીઆઈ(એમ)નો સમાવેશ થાય છે. ), RJD, AIMIM, AIUDF (ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK).

આ પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું

ભાજપ, શિવસેના (શિંદે જૂથ), નેશનલ પીપલ્સ પાર્ટી, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, અપના દળ – સોનીલાલ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, તમિલ મનિલા કોંગ્રેસ, AIADMK, AJSU (ઝારખંડ), મિઝો નેશનલ મોરચો, YSRCP, TDP, BJD, BSP, JDS, શિરોમણી અકાલી દળનો સમાવેશ થાય છે.

Published On - 12:36 pm, Fri, 26 May 23

Next Article