Bipin Rawat Death Prediction: એક વર્ષ પહેલા જ થઈ હતી બિપિન રાવતના મૃત્યુની આગાહી, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી ?

Bipin Rawat Death Prediction: બેંગ્લોર સ્થિત એક મેગેઝિન દ્વારા કરવામાં આવેલી જ્યોતિષીય આગાહી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Bipin Rawat Death Prediction: એક વર્ષ પહેલા જ થઈ હતી બિપિન રાવતના મૃત્યુની આગાહી, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી ?
Bipin Rawat Death Prediction
| Edited By: | Updated on: Dec 09, 2021 | 9:28 PM

Bipin Rawat Death Prediction: CDS બિપિન રાવત (CDS Bipin Rawat) ની વિદાય પર સમગ્ર દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે. દુનિયાભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ અકસ્માતમાં બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકોના મોત થયા હતા. રાવતના નિધન બાદ અનેક તર્ક-વિતર્કો સામે આવ્યા છે. આ ઉપરાંત બેંગ્લોર (Banglore)માં એક મેગેઝીન (Magazine) ના એક પેજના સમાચારે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.

મેગેઝીને એક વર્ષ પહેલા દેશના સૌથી (કોઈ પણ) મોટા વ્યક્તિના મૃત્યુની આગાહી કરી હતી (Bipin Rawat Bhavishyavani). ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે દેશમાં કોઈ મોટો માણસના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી. …..પછી તે આર્મી ચીફ પણ હોય શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાવતના નિધનને કારણે આ મેગેઝીનની ભવિષ્યવાણી સાચી પડી છે.

મેગેઝીનના પેજનો વાયરલ ફોટો

બેંગ્લોર સ્થિત એક મેગેઝિન દ્વારા કરવામાં આવેલી આધુનિક જ્યોતિષીય આગાહી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ મેગેઝીનના સંપાદક ગાયત્રી વાસુદેવ છે. તેમનું જ્યોતિષ શાસ્ત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેમણે પોતાના લેખમાં લખ્યું છે કે દેશના બે મોટા નેતાઓ પર ખતરો હોઈ શકે છે. “26 મે, 2021 થી 4 ડિસેમ્બર, 2021 એ ગ્રહણનો સૌથી સંવેદનશીલ સમયગાળો છે,” તેમણે લેખમાં લખ્યું. આ દરમિયાન ગુના વધી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળની સુરક્ષા વધુ કડક કરવામાં આવે તેવી સલાહ આપવામાં આવે છે . હવે CDS ચીફ રાવતના નિધન બાદ આ લેખ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ લેખ નવેમ્બર 2020 માં લખાયો હતો.

કોણ છે ગાયત્રી વાસુદેવ?
ગાયત્રી વાસુદેવની આ ભવિષ્યવાણી વાયરલ થયા બાદ ગાયત્રી વાસુદેવની શોધ શરૂ થઈ. ગાયત્રી વાસુદેવ, જેમની ભવિષ્યવાણીની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં થઈ રહી છે, તે હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઑ જગાવી છે.

સામાન્ય નાગરિકો CDS જનરલ બિપિન રાવતને આવતીકાલે બપોરે 11થી 12ઃ30 વાગ્યે CDS કારજ માર્ગ સ્થિત નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી શકે છે. તે જ સમયે, લશ્કરી કર્મચારીઓ 12.30-13.30 વચ્ચે શ્રદ્ધાંજલિ આપી શકે છે. આ પછી, અંતિમ સંસ્કાર માટે મૃતદેહને દિલ્હી કેન્ટ બ્રાર સ્ક્વેર પર લઈ જવામાં આવશે.

આ પણ વાંચો: આ 5 સરળ સ્ટેપમાં ગૂગલ મીટ પર વીડિયો મીટિંગ કરો રેકોર્ડ, આ ફિચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

આ પણ વાંચો: PHOTOS: લોકોએ LOC પર CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી, કેન્ડલ માર્ચ કાઢી