બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં રેલવેનો મોટો ખુલાસો, સુરક્ષા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે આ કારણ

|

Feb 11, 2022 | 7:43 PM

ગયા મહિને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસમાં થયેલા અકસ્માતને લઈને કમિશન ઑફ રેલવે સેફ્ટી (CRS રિપોર્ટ)નો રિપોર્ટ સામે આવ્યો છે.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનામાં રેલવેનો મોટો ખુલાસો, સુરક્ષા રિપોર્ટમાં આપવામાં આવ્યું છે આ કારણ
Bikaner Guwahati Train Mishap, Commission of Railway Safety Report reveal the cause of accident

Follow us on

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગત મહિને થયેલા બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં (Bikaner-Guwahati express Accident) રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે લગભગ એક મહિના બાદ તે અકસ્માતનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રેલવે સેફ્ટી કમિશન (CRS રિપોર્ટ) ના અહેવાલમાં જાળવણીમાં મોટી ક્ષતિ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, અકસ્માતની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે લોકો નંબર 22375 ડબલ્યુએપી-4નું છેલ્લું ટ્રાવેલ ઇન્સ્પેક્શન 6 ડિસેમ્બરે થયું હતું અને ત્યારથી તે ટ્રેક્શન મોટર-2 પાટા પરથી ઉતર્યા પહેલા 18,000 કિમી સુધી સતત ચાલી રહ્યું હતું. દર 4,500 કિમી પછી ડબલ્યુએપી-4 લોકોમોટિવનું નિરીક્ષણ કરવું જોઈએ.

અકસ્માત દરમિયાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે, “આજે સાંજે ન્યુ મયનાગુરી (પશ્ચિમ બંગાળ) નજીક એક અકસ્માતમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઝડપી બચાવ કામગીરી માટે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું.” ભારતીય રેલવેએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 5 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 1 લાખ અને નાના ઇજાગ્રસ્ત મુસાફરોને રૂ. 25,000ની સહાય આપી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે લોકોમોટિવના ઉપકરણોમાં કેટલીક ખામી હતી. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના ડોમોહાની પાસે ગુરુવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ હતી.

બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કેટલાક કોચ પલટી ગયા હતા. આ અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લગભગ 36 લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળની મુલાકાત લેતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એન્જિનના સાધનો સંપૂર્ણ રીતે ખુલ્યા બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે.

 

આ પણ વાંચો –

Crime: ઝેરી દારૂથી મોત થતાં વહીવટીતંત્રની મોટી કાર્યવાહી, 19 દારૂ માફિયાઓના ઘર પર ચલાવવામાં આવ્યું બુલડોઝર

આ પણ વાંચો –

Delhi Building Collapse: જૂની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો કાટમાળ નીચે દટાયા, બચાવ કામગીરી ચાલુ

Next Article