અયોધ્યામા રામ મંદિરના ભૂમિપૂજન માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આંમત્રણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે. આગામી 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામા 70 એકરમાં 161 ફૂટ ઊંચા બનનાર રામ મંદિરનુ ભૂમિપૂજન કરશે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાનની અનુકુળતા માટે 3 અને 5 ઓગસ્ટ એમ બે તારીખ મોકલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે 5મી ઓગસ્ટ અનુકુળતા હોવાનું પીએમઓએ જાણ કરી છે. 70 એકરમાં બનનાર મંદિર પરિસરનુ નિરિક્ષણ પણ કરશે. 161 ફુટ ઊંચા રામમંદિરમાં કુલ 5 ગુંબજ હશે.