આ એક્સપ્રેસ-વે પર લગભગ 4 હજાર કિલોમીટરના નવા ગ્રીનફીલ્ડ હવાઈ બનાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. પ્રોજેક્ટની શરુઆત પહેલા ભારતીય નેશનલ હાઈવે ઑથોરિટી (NHAI)એ હવે જરૂરી તૈયારીઓ શરુ કરી દિધી છે.
મોદી સરકાર વર્ષ 2024 સુધી જે 3 હજાર કિલોમીટરના એક્સપ્રેસ-વે બનાવવાની તૈયારી કરી રહી છે, તેના હેઠળ વારાણસી-રાંચી-કોલકાતા, ઇંદોર-મુંબઈ, બેંગલુરૂ-પુણે અને ચેન્નઈ-ત્રિચિ એક્સપ્રેસ-વેનો પ્રસ્તાવ છે.
સરકારે આ એક્સપ્રેસ-વે પર વાહનોની ગતિ મર્યાદા 120 મીટર પ્રતિ કલાકની રાખવાનું નક્કી કર્યું છે એટલે કે આપ આ એક્સપ્રેસ-વે પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડાવી શકશો. તેના માટે ટુંકમાં જ ડીપીઆર નિર્માણનું કામ પણ શરુ કરવા જઈ રહ્યું છે.
આ ઉપરાંત સરકારે કેટલાક શહેરો વચ્ચે 4 હજાર કિલોમીટરના નવા ગ્રીનફીલ્ડ હાઈવે બનાવવાની પણ તૈયારી શરુ કરી છે. તેના હેઠળ પટણાથી રાઉરકેલા, ઝાંસીથી રાયપુર, સોલાપુરથી બેલગામ, ગોરખપુરથી બરેલી અને વારાણસીથી ગોરખપુર વચ્ચે નવા હાઈવે બનાવવામાં આવશે. આ શહેરો વચ્ચે હાલના રોડ કૉરિડોરનું વિસ્તરણ કરવાની જગ્યાએ હવે ગ્રીનફીલ્ડ હાઈવે શરુ થશે કે જેથી જમીન સંપાદનમાં થતો વિલંબ, જમીન હાસલ કરવા માટે આપવી પડતી વધુ કિંમત અને દબાણ ખસેડવા જેવી સમસ્યાઓથી બચી શકાશે.
[yop_poll id=717]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]