BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બોર્ડ ડિરેક્ટરો વારાણસી પહોંચ્યા છે. આ તમામે વારાણસીના સંભવિત પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી છે.

BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે
| Edited By: | Updated on: Sep 05, 2021 | 10:29 AM

BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે.પશુપાલકોને લાભ મળે તે માટે બનાસ ડેરી વારાણસીમાં નવો પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પ્લાન્ટ માટે જમીનની ફાળવણી થતા જ ડેરીની ટિમ વારાણસી પહોંચી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બોર્ડ ડિરેક્ટરો વારાણસી પહોંચ્યા છે. આ તમામે વારાણસીના સંભવિત પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી છે.

આ અંગે ટ્વીટ કરતા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લખ્યું કે, ભારતની આધ્યાત્મિક રાજધાની અને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં વારાણસી બનાસ ડેરીનો નવો પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે તે જમીનની મેં બોર્ડ ડિરેક્ટરોની આખી ટીમ સાથે મુલાકાત લીધી.

Published On - 10:19 am, Sun, 5 September 21

Follow Us