AFSPA in Assam: આસામ 6 મહિના માટે ‘અશાંત ક્ષેત્ર’ ઘોષિત, આગલા આદેશ સુધી લાગુ રહેશે AFSPA, જાણો શું છે AFSPA કાયદો

|

Sep 12, 2021 | 7:25 AM

AFSPA-Armed Forces Special Powers Act: નવેમ્બર 1990 માં આસામમાં AFSPA લાદવામાં આવ્યો હતો, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા બાદ દર છ મહિને તેને વધારવામાં આવ્યો છે

AFSPA in Assam: આસામ 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત, આગલા આદેશ સુધી લાગુ રહેશે AFSPA, જાણો શું છે AFSPA કાયદો
આસામ 6 મહિના માટે 'અશાંત ક્ષેત્ર' ઘોષિત

Follow us on

AFSPA in Assam: શનિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, આસામ સરકારે જણાવ્યું હતું કે સશસ્ત્ર દળો (વિશેષ સત્તા) અધિનિયમ, 1958 ની કલમ 3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, 28 ઓગસ્ટ, 2021 થી છ મહિના સુધી સમગ્ર આસામ રાજ્યને એક સમયગાળા માટે “અશાંત ક્ષેત્ર” જાહેર કરવામાં આવ્યું છે. નવેમ્બર 1990 માં આસામમાં AFSPA (Armed Forces Special Powers Act) લાદવામાં આવ્યો હતો અને ત્યારથી રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા બાદ દર છ મહિને તેને વધારવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ 27 ફેબ્રુઆરીથી છ મહિના માટે સમગ્ર રાજ્યને ‘અશાંત ક્ષેત્ર’ તરીકે જાહેર કર્યો હતો. હકીકતમાં, આ નવા AFSPA પાછળ, આસામના દિમા હસાઓ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા પાંચ લોકોની હત્યા કરવાની ઘટના પણ તાજેતરમાં માનવમાં આવી રહી છે. જેમાં આતંકવાદીઓએ પાંચ લોકોની હત્યા કરી હતી અને અનેક ટ્રકોને આગ લગાવી હતી.

નોંધનીય છે કે નવેમ્બર 1990 માં આસામમાં AFSPA લાદવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા બાદ દર છ મહિને તેને વધારવામાં આવ્યો છે. આ પ્રદેશમાં નાગરિક સમાજના જૂથો અને અધિકારોના કાર્યકરો પૂર્વોત્તરના રાજ્યોમાંથી કહેવાતા ‘કઠોર’ કાયદાને પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે જ્યાં તેનો અમલ થયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તે જ સમયે, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં હત્યા, લૂંટ અને ખંડણીના કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. AFSPA દાયકાઓથી નાગાલેન્ડમાં અમલમાં છે.

AFSPA કાયદો શું છે?
AFSPA એક્ટ હેઠળ, કેન્દ્ર સરકાર, રાજ્યપાલના રિપોર્ટના આધારે, રાજ્ય અથવા વિસ્તારને અસ્વસ્થ જાહેર કરે છે અને ત્યાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરે છે. AFSPA પૂર્વોત્તરના વિવાદિત વિસ્તારોમાં સુરક્ષા દળોને વિશેષ સત્તા આપે છે. આ અંતર્ગત સુરક્ષા કર્મચારીઓને સર્ચ ઓપરેશન કરવાની અને કોઈપણ વોરંટ વગર કોઈની પણ ધરપકડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. (AFSPA in Gujarati)

શંકાના કિસ્સામાં, સુરક્ષા કર્મચારીઓને કોઈપણ વાહનને રોકવાનો, શોધવાનો અને જપ્ત કરવાનો અધિકાર છે. તેઓ ધરપકડ દરમિયાન કોઈપણ પ્રકારની શક્તિનો ઉપયોગ કરી શકે છે. AFSPA ની જોગવાઈઓ પૂર્વોત્તર દેશના સાત રાજ્યોમાં લાગુ છે. શરૂઆતમાં આ કાયદો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં લાગુ કરવામાં આવ્યો હતો. વધતી જતી ઉગ્રવાદી પ્રવૃત્તિઓને કારણે આ કાયદો વર્ષ 1990 માં જમ્મુ -કાશ્મીરમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Shiromani Akali Dal Protest: કૃષિ કાયદાને લઈને 17 સપ્ટેમ્બરે અકાલી દળ મનાવશે ‘કાળો દિવસ’, સંસદ સુધી વિરોધ કૂચ યોજાશે

આ પણ વાંચો:  Fordના ઉઠમણાં સામે FADA એ આપી આ પ્રતિક્રીયા, જાણો આ અહેવાલમાં

 

Next Article