Mumbai: ‘ઘર-ઘર વેક્સિન’ પછી હવે BMC શરૂ કરી રહી છે ‘વેક્સીન ઓન વ્હીલ’

|

Aug 10, 2021 | 8:06 PM

મુંબઈમાં 18 વર્ષથી ઉપરના 90 લાખ લોકો માટે કુલ 1 કરોડ 80 લાખ ડોઝની જરૂર છે. અત્યાર સુધીમાં 76 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. 19 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. દરેક વ્યક્તિને નવેમ્બરના અંત સુધીમાં વેક્સિન અપાઈ જશે.

Mumbai: ઘર-ઘર વેક્સિન પછી હવે BMC શરૂ કરી રહી છે વેક્સીન ઓન વ્હીલ
મુંબઈમાં ત્રણ મહિનામાં દરેકને વેક્સિન આપવામાં આવશે - BMC કમિશનર

Follow us on

15 ઓગસ્ટથી મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) જેમણે વેક્સિનના (Vaccination in Mumbai) બંને ડોઝ લઈ લીધા છે તેવા લોકો માટે મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ જેમણે હજુ સુધી વેક્સિન લીધી નથી, તેમની ચિંતા વધી છે. હવે તેઓ વહેલી તકે વેક્સિન મેળવવા માંગે છે. જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકો માટે એક મહત્વના સમાચાર છે.

 

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આગામી ત્રણ મહિનામાં એટલે કે નવેમ્બરના અંત સુધીમાં મુંબઈના તમામ લોકોનું વેક્સિનેશન પૂર્ણ થઈ જશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈમાં ત્રણ મહિનામાં દરેકને કોરોના વાયરસની વેક્સિન આપવાની ખાતરી આપી છે.

 

 

તમામ મુંબઈવાસીઓને નવેમ્બરના અંત સુધીમાં આપવામાં આવશે વેક્સિન 

હાલમાં મુંબઈમાં દરરોજ લગભગ 80 હજારથી 1 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે વેક્સિન વધુ ઉપલબ્ધ હોય ત્યારે એક દિવસમાં 1.5 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે. આ રીતે BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલના જણાવ્યા મુજબ આગામી સમયમાં મળનારા વેક્સિનના ડોઝની સંખ્યાના આધારે તમામ મુંબઈવાસીઓનું વેક્સિનેશન નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

 

મુંબઈમાં 18 વર્ષથી વધુ ઉંમરના 90 લાખ લોકો છે, જેમને અત્યાર સુધીમાં 76 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. 19 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. મ્યુનિસિપલ, સરકારી અને ખાનગી સહિત કુલ 432 વેક્સિનેશન સેન્ટરોમાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી ઉપરના 90 લાખ લોકો માટે કુલ 1 કરોડ 80 લાખ ડોઝ (દરેક માટે બે ડોઝ) જરૂરી છે. અત્યાર સુધી જે ગતિએ વેક્સીનેશન ચાલુ છે તે જોતા નવેમ્બરના અંત સુધીમાં દરેકને વેક્સિન આપવામાં આવશે.

 

વેક્સિનના 14 દિવસ પછી જ મુંબઈ લોકલ જવાની પરવાનગી કેમ?

વેક્સિન લીધા પછી તમારે 14 દિવસ રાહ જોવી પડશે. આ પછી જ મુંબઈવાસીઓને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની છૂટ છે. આનું કારણ બીએમસી કમિશનરે પણ આપ્યું છે. કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે વેક્સિનના બીજા ડોઝ પછી 14 દિવસમાં કોરોના વાયરસ સામે લડવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ તૈયાર થાય છે. તેથી મુંબઈ લોકલમાં મુસાફરી માટે વેક્સિન લીધા પછી 14 દિવસ બાદ જવાનો નિયમ લાદવામાં આવ્યો છે.

 

મુંબઈમાં ડોર-ટુ-ડોર વેક્સિન બાદ હવે ‘વેક્સીન ઓન વ્હીલ’

બીએમસી હવે મુંબઈમાં ‘વેક્સીન ઓન વ્હીલ’ લોન્ચ કરી રહી છે. આ વેક્સીન ઓન વ્હીલ અંતર્ગત સ્થાનાંતર કરેલ કામદારો, હોકર્સ, એચઆઈવી દર્દીઓ, ટ્રાન્સજેન્ડર્સ, બાંધકામ કામ સાથે સંકળાયેલા લોકો, કુલીઓ અને મજૂર વર્ગનું કોરોના રસીકરણ કરવામાં આવશે. આ અંતર્ગત 4 વેક્સિન ઓન વ્હીલ તૈયાર કરવામાં આવી છે, જેમાં ડોકટરો, નર્સ સ્ટાફ વેક્સિનના ડોઝ રાખીને સમગ્ર મુંબઈમાં મુસાફરી કરશે અને લોકોને વેક્સિન આપશે.

 

 

આ ગાડીઓ મુંબઈના તમામ 24 વોર્ડમાં ફેરવવામાં આવશે. જેમને વેક્સિન આપવાની છે તેમની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેના આધારે તેમને તેમના વિસ્તારોમાં જઈને વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિન ઓન વ્હીલ BMC દ્વારા અમેરિકા-ઈન્ડિયા ફાઉન્ડેશનની મદદથી ચલાવવામાં આવશે.

 

 

આ પહેલા બીએમસીએ શહેરના વરિષ્ઠ નાગરિકો અને સગર્ભા સ્ત્રીઓ માટે ડોર ટુ ડોર વેક્સિનેશન અભિયાન પણ શરૂ કર્યું છે. મોબાઈલ વાનમાં વિવિધ હોકર્સ યુનિયન, એડ્સ નિયંત્રણ સંસ્થા અને એનજીઓ દ્વારા વહેલામાં વહેલી તકે મુંબઈ અને ઉપનગરોના તમામ વંચિત અને મજૂર વર્ગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી આખું મુંબઈ વહેલી તકે વેક્સિનેટેડ થઈ શકે.

 

 

આ પણ વાંચો : West Bengal: બળાત્કારને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે મમતા સરકાર, શુભેન્દુ અધિકારીએ લગાવ્યો આક્ષેપ

Next Article