Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં વધુ 10 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા, રાજ્યમાં 20 અને દેશમાં થયા 33 કેસ

|

Dec 08, 2021 | 8:26 PM

રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "આજે, મહારાષ્ટ્રમાં કુલ 10 ઓમિક્રોન વેરિઅન્ટ્સ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. લગભગ 65 સ્વેબ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ પણ આવવાનો બાકી છે. અમારી પાસે ત્રણ જીનોમ સિક્વન્સિંગ લેબ ઉપલબ્ધ છે. નજીકમાં ભવિષ્યમાં, અમે નાગપુર અને ઔરંગાબાદમાં પણ લેબ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

Omicron in Maharashtra: મહારાષ્ટ્રમાં વધુ 10 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા, રાજ્યમાં 20 અને દેશમાં થયા 33 કેસ
Rajesh Tope, Health Minister of Maharashtra

Follow us on

મહારાષ્ટ્રમાં, એક જ દિવસમાં 10 વધુ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ (Omicron in maharashtra) એક સાથે મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope) એ આ જાણકારી આપી છે. આ સમાચારે માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશની ચિંતા વધારી દીધી છે. આ રીતે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા અચાનક 10 થી વધીને 20 થઈ ગઈ છે. દેશમાં પણ હવે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 23 થી વધીને 33 થઈ ગઈ છે.

નિષ્ણાતો પહેલાથી જ કહી ચૂક્યા છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પાંચ ગણી ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 10 લોકો ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું બહાર આવવાથી એ વાત સાબિત થઈ રહી છે. એટલું જ નહીં છેલ્લા 15 કલાકમાં વિશ્વભરમાં ઓમિક્રોન સંક્રમણમાં 45 ટકાનો વધારો થયો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હજુ 65 વધુ સ્વેબના રિપોર્ટ આવવાના બાકી છે

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમણ વિશે આ નવીનતમ માહિતી આપતા રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, “આજે, મહારાષ્ટ્રમાં કુલ 10 ઓમિક્રોન વેરિઅન્ટ્સ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. જીનોમ સિક્વન્સિંગ માટે લગભગ 65 સ્વેબ મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ પણ આવવાનો બાકી છે. અમારી પાસે ત્રણ જીનોમ સિક્વન્સિંગ લેબ છે. આવનારા સમયમાં અમે નાગપુર અને ઔરંગાબાદમાં પણ લેબ શરૂ કરવાના છીએ”.

 10 નવા ઓમિક્રોન સંક્રમિત મહારાષ્ટ્રના ક્યા વિસ્તારના છે

જણાવી દઈએ કે ઓમિક્રોન સંક્રમણ સંબંધિત નવી સ્થિતિઓ અને ડેટા વિશે માહિતી આપતી વખતે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે એ નહોતું કહ્યું કે જે દસ નવા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે તે મહારાષ્ટ્રના કયા વિસ્તારો સાથે સંબંધિત છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.

અગાઉ મુંબઈમાં બે ઓમિક્રોન સંક્રમિત જોવા મળ્યા હતા. મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલીમાં એક ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો હતો. પુણેમાં એક અને પુણેને અડીને આવેલા પિંપરી ચિંચવાડમાં છ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. હવે બુધવારે વધુ દસ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની શોધ થયા બાદ, દેશમાં અડધાથી થોડા ઓછા કેસ મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યા છે. અત્યાર સુધીના અપડેટ્સ અનુસાર, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 43 છે, જ્યારે એકલા મહારાષ્ટ્રમાં આ સંખ્યા 20 પર પહોંચી ગઈ છે. રાજસ્થાન બીજા નંબર પર છે. અહીં જયપુરમાં એક જ પરિવારના 9 લોકો કોરોનાના આ નવા વેરીઅન્ટની ઝપેટમાં આવી ગયા છે.

આ પણ વાંચો :  આવનારા સમયમાં મોંઘવારી વધુ વકરશે ! દેશના સામાન્ય માણસે જરૂર જાણવી જોઈએ RBI ગવર્નરની આ 5 મોટી વાતો

Next Article