શિવસેના સામે ‘બદલા’પુર ! 25 કોર્પોરેટરો સહિત નેતા-કાર્યકરો શિંદે જૂથમાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેને કહ્યું ‘જય મહારાષ્ટ્ર’

અત્યારે રાહતની વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેનો (Uddhav Thackeray) ગઢ એટલે કે મુંબઈનો (Mumbai) કિલ્લો જળવાયેલો છે. જો આ સાચવવામાં આવે તો શિવસેનાને ફરી ઉભી થવામાં આગળ ઘણો સમય છે. જો કે, અહીં પણ શીતલ મ્હાત્રેએ ગાબડું પાડ્યું છે.

શિવસેના સામે બદલાપુર ! 25 કોર્પોરેટરો સહિત નેતા-કાર્યકરો શિંદે જૂથમાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેને કહ્યું જય મહારાષ્ટ્ર
Shinde's Badlapur!
Image Credit source: Tv9 Network
| Edited By: | Updated on: Jul 17, 2022 | 7:46 AM

સીએમ એકનાથ શિંદેએ (CM Eknath Shinde) શિવસેના સાથે ‘બદલા’પુરની શરૂઆત કરી છે. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને એક પછી એક આંચકાનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્યો પછી, સાંસદો અને હવે કોર્પોરેટરો, પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેનો (Uddhav Thackeray) પક્ષ છોડવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરમાં શનિવારે (16 જૂન) શિવસેનાનો લગભગ સંપૂર્ણ સફાયો થઈ ગયો હતો. 25 કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ, કાર્યકરો, યુવા સેનાના કાર્યકરો, મહિલા પદાધિકારીઓ સીએમ શિંદેની હાજરીમાં તેમના જૂથમાં ભળી ગયા અને ઉદ્ધવ કેમ્પને રામ-રામ કર્યા.

બદલાપુર નગરપાલિકાના શિવસેનાના તમામ ભૂતપૂર્વ કોર્પોરેટરોએ શિંદે જૂથને ટેકો જાહેર કર્યો છે. તેમની સાથે થાણે જિલ્લા પરિષદના પ્રમુખ પુષ્પા પાટીલ પણ શિંદે જૂથમાં જોડાયા છે. કુલગાંવ બદલાપુર નગરપાલિકાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને શહેર પ્રમુખ વામન મ્હાત્રે સાથે પૂર્વ કોર્પોરેટરો સીએમ શિંદેને મળ્યા અને તેમને તેમનો ટેકો આપ્યો. પંચાયત સમિતિના સભ્ય બાલસમ કાંબરી અને અન્ય સભ્યોએ પણ શિંદે જૂથને ટેકો જાહેર કર્યો હતો.

શિંદેનું ‘બદલા’પુર, ઠાકરે કેમ્પની બત્તી ગુલ!

બદલાપુરના તમામ પક્ષના પદાધિકારીઓ અને ભૂતપૂર્વ કોર્પોરેટરો શિંદે જૂથમાં જોડાયા છે, હવે બદલાપુરમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો એક પણ પદાધિકારી નથી. મીરા-ભાઈંદર, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, અંબરનાથના ભૂતપૂર્વ કોર્પોરેટરો પહેલેથી જ શિંદે જૂથને ટેકો જાહેર કરી ચૂક્યા છે. હવે બદલાપુરના શિવસેનાના પદાધિકારીઓ પણ શનિવારે સીએમ શિંદેને મળ્યા અને તેમના સમર્થનમાં આવવાની જાહેરાત કરી.

જેમાં શિવસેનાના 25 પૂર્વ કોર્પોરેટર હતા. તેમાંથી એક NCPમાં ગયા અને એકનું અવસાન થયું. આ રીતે કોર્પોરેટરોની સંખ્યા 23 થઈ ગઈ હતી. આમાંથી બેને બાદ કરતાં તમામ સીએમ શિંદેને મળવા આવ્યા હતા. આ બંને કોર્પોરેટરો પહેલેથી જ શિંદે જૂથ સાથે હોવાનું કહેવાય છે. આ બધાની સાથે પાર્ટીના પદાધિકારીઓ, મહિલા પાંખ અને યુવા સેનાએ પણ શિંદે જૂથને સમર્થન જાહેર કર્યું છે.

શિવસેનાનો કિલ્લો, ક્યાં – ક્યાં તૂટી પડ્યો?

આ સમય સુધીમાં, થાણે જિલ્લાના એક કોર્પોરેટર સિવાય, અન્ય તમામ કોર્પોરેટરો શિંદે જૂથમાં જોડાયા છે. એટલે કે થાણેમાંથી શિવસેનાનો સફાયો થઈ ગયો છે. નવી મુંબઈમાંથી 33, મીરા ભાયદરમાંથી 12, ઉલ્હાસનગરમાંથી 15, અંબરનાથમાંથી 20 અને મુંબઈના 1 કોર્પોરેટર શિંદે જૂથમાં જોડાયા છે. મુંબઈથી માત્ર શીતલ મ્હાત્રે જ શિંદે જૂથમાં જોડાયા છે.