Section 144 in Mumbai : મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ, કોરોના નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહીનો આદેશ

|

Dec 16, 2021 | 10:17 AM

આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ દુકાન, મોલ, ઈવેન્ટ અને મેળાવડામાં એવા લોકો જ હોવા જોઈએ જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી હોય અને આવી જગ્યાઓ પર આવતા તમામ લોકો અને ગ્રાહકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે.

Section 144 in Mumbai : મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ, કોરોના નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહીનો આદેશ
File photo

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) ઓમિક્રોનના (Omicron) વધતા જતા કેસ વચ્ચે મુંબઈમાં કોવિડ પ્રતિબંધો (Covid Restrictions) 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. આ દરમિયાન મુંબઈ પોલીસ રસ્તાઓ પર લોકોની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે જેઓ માસ્ક નથી પહેરતા તેમની સામે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે.

આ સાથે, તહેવાર દરમિયાન પણ કોઈ મોટી ઘટનાને મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે કોઈપણ કાર્યક્રમમાં માત્ર 50 ટકા લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે કોરોનાની રસી લેવવા પર પણ ભાર આપવામાં આવશે.

જાહેર સભાઓ યોજવા પર પ્રતિબંધ
મુંબઈમાં કલમ 144 હેઠળ ચાર કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકતા નથી. આ સાથે જ જાહેર સભાઓ યોજવા પર પણ પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ દુકાન, મોલ, ઈવેન્ટ અને મેળાવડામાં એવા લોકો જ હોવા જોઈએ જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી હોય અને આવી જગ્યાઓ પર આવતા તમામ લોકો અને ગ્રાહકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ સાથે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે તે જ લોકો તમામ જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકશે. મહારાષ્ટ્રમાં મુસાફરી કરતા તમામ લોકો પાસે રસીના બંને ડોઝ હોવા જોઈએ અથવા 72 કલાકમાં RT-PCR રિપોર્ટ કરાવવો જોઈએ.

238 નવા કેસ સામે આવ્યા છે
બુધવારે મુંબઈમાં કોરોના વાયરસના 238 નવા કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 7,65,934 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોના વાયરસના કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી. અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુઆંક 16,360 પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે, જેમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનનો સમાવેશ થાય છે.

બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને શહેરની ઉપનગરીય ટ્રેન સેવાઓનો ઉપયોગ કરતા લોકો પર લાદવામાં આવેલા પ્રતિબંધ માટેનું તર્ક સમજાવવા માટે નિર્દેશ આપ્યો હતો, જેમણે હજી સુધી કોવિડ-19 વિરોધી રસી મેળવી નથી. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ એમએસ કર્ણિકની ખંડપીઠે રાજ્યના મુખ્ય સચિવને એક એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે કે જેઓએ  રસી લીધી  છે અને જેઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રસી લીધી  નથી તેમની વચ્ચે ભેદભાવ કરવા માટેનું સમર્થન સમજાવે છે.

આ  પણ વાંચો : સરહદ પર ચીન અને ભારતીય સેનાનો થયો આમનો-સામનો, સવાલ પૂછવા પર ચીનને મળ્યો જડબાતોડ જવાબ

આ પણ વાંચો : Plane Crash: ડોમિનિકન રિપબ્લિકમાં ખાનગી જેટ ક્રેશ, 9ના મોત, ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન અકસ્માત

Published On - 7:29 am, Thu, 16 December 21

Next Article